SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક(૨.૯)માં ઓજોગુણનું સરસ સોદાહરણ વિવેચન છે અને ‘લોચન'(પૃ. ૨૦૮)માં દીપ્તિ'નું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. “વેણીસંહાર'ના વઝબુઝ અને યો ય શાસ્ત્રમ્ એ બે શ્લોકો ઓજોગુણના દાખલા છે. ઓજોગુણના વ્યંજકો સૂત્ર ૬(૪.૬)માં ગ્રંથકાર ઓજોગુણના ભંજકો વર્ણવે છે – आद्यतृतीयाक्रान्तौ द्वितीयतुर्थौ युक्तो रेफस्तुल्यश्च टवर्गशषा वृत्तिदैर्घ्यमुद्धतो મુશ્કેશાત્ર II (૪.૬). ' અર્થાત્ “વર્ગનો પહેલો અને ત્રીજો વર્ણ અનુક્રમે વર્ગના બીજા અને ચોથા વર્ણ સાથે જોડાયેલો હોય (જેમ કે, ફખ, ૭, ૮, ત્ય, ગ્ધ, ઝ, ટૂંઠ, ઢ, ફ, બભ), આગળ કે પાછળ રેફ (‘૨' વર્ણ) સાથે જોડાયેલા વર્ષો (જેમ કે, ર્ક, ક્ર, ર્ત, ત્ર, ર્ગ, ઝ, , છૂ ઇત્યાદિ), બેવડા વર્ષો (ક, ખ, ગૂ, ચ, ૪, પ, બે ઇત્યાદિ), ણ (વર્ણ) સિવાયનો ટ-વર્ગ (ટ, ઠ, ડ, ઢ), શ, ષ, દીર્ઘ સમાસ અને કઠોર રચના એ ઓજોગુણના ભંજકો છે. વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કર્યો છે જે ઉપર પ્રમાણે જ છે. હનુમન્નાટક(૮.૪૮)નો મુખમુદ્દત્તાવિરત્ત એ જાણીતો શ્લોક (ઉદા. ૪૨૮) ઓજોગુણના ઉપર વર્ણવેલા સર્વ ભંજકો, વિવિધ જોડાક્ષરો, દીર્ઘ સમાસ તથા કઠોર રચનાથી સભર છે. મમ્મટે “ઉદ્ધત ગુન્ફ” માટે વૃત્તિમાં, ‘વિકટ સંઘટના” શબ્દપ્રયોગ કર્યો છે અને ઉદાહરણરૂપે ઉપરનો જ શ્લોક રજૂ કર્યો છે, જેમાં પોતાના પરાક્રમી હાથો તથા મસ્તકોની નિષ્ક્રિયતાથી સંતપ્ત રાવણના શબ્દો રજૂ થયા છે. પણ વેણીસંહાર(૩.૩૩)ના સેશ: સોમરાતિશાંતિનતૈ. એ શ્લોક(ઉદા. ૪૨૯)માં રૌદ્રરસ છે તોપણ એ ઓજોગુણનું દૃષ્ટાન્ત બની શકતો નથી; કેમ કે, આ શ્લોકમાં, ઉપર કહ્યા મુજબના વર્ણો નથી; ઉદ્ધત (વિકટ) રચના નથી; અને (લાંબા) સમાસો નથી. તેથી આ શ્લોક જોગુણથી વિરુદ્ધ છે. જો કે એમાં ક્રોધાવિષ્ટ અશ્વત્થામા, યદ્રામેળ કૃતિ તદ્રવ તે ઢોળાત્મનઃ #ાધન એવા શબ્દોમાં પરશુરામના પરાક્રમનું અનુસરણ કરી શત્રુઓનું નિકંદન કાઢવા તત્પર છે એવો ભાવ રજૂ થયો છે; પણ શૈલી દીપ્તિમય નથી. પ્રસાદ'ગુણનું સ્વરૂપ સાતમા સૂત્ર(૪.૭)માં ગ્રંથકાર પ્રસાદગુણનું સ્વરૂપ વર્ણવે છે - વિકાસદેતુઃ પ્રસાદ્રિઃ સર્વત્ર (૪.૭) અર્થાત્ “ચિત્તના વિકાસના કારણરૂપ પ્રસાદ'ગુણ બધે જ (બધા રસોમાં) હોય છે.” ૪૯૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy