________________
આમ વામનનો અર્થગુણ સમાધિ એ અર્થદષ્ટિ છે. વૃત્તિમાં આની સમજૂતી આપતાં વામને કહ્યું છે કે, “અર્થનું દર્શન એ અર્થદષ્ટિ છે. સમાધિ એનું કારણ છે તેથી એ સમાધિગુણ કહેવાય છે. સાવધાન મનથી જ અર્થ દેખાય છે. આ વાત અગાઉ વિરૈમવધાનમ્ એ સૂત્ર(૧.૩.૧૭)માં કહેલી છે. સ્થિર ચિત્તવાળો કવિ જ અર્થોને જોઈ શકે છે. આ અર્થ બે પ્રકારનો છે : ૧. “અયોનિઃ” (મૌલિક સર્જન) અને ૨. અન્યચ્છાયયોનિ (બીજાના કાવ્યની છાયા લઈને થતું સર્જન). વળી, એ જ અર્થ ૧. વ્યક્તિ અને ૨. સૂક્ષ્મ એમ બે પ્રકારનો છે. આમાંથી સૂક્ષ્મના પાછા બે ભેદ છે : ૧. ભાવ્ય અને ૨. વાસનીય.
અર્થમાં આ નિરૂપણને લક્ષમાં રાખીને જ વામન કહે છે કે, “૧. અયોનિ અને ૨. અન્યચ્છાયયોનિ એવા બે પ્રકારના અર્થનું જો કવિને દર્શન જ ન થતું હોય તો કાવ્ય-સર્જન થાય જ કેવી રીતે ?” (વિવેક, પૃ. ૨૮૨).
વામનના આ મતની સામે શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે તો તો બધા જ સારા કવિઓએ નિહાળેલો કાવ્યરૂપી અર્થ સમાધિ (ગુણ) જ કહેવાય ! આથી ટૂંકમાં (વામનના) “અર્થગુણ સમાધિ'ને રદિયો આપવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે વામનનો અર્થગુણ સમાધિ એ અર્થસંદર્ભનો ગુણ નથી; પણ, કવિ અને કવિની પ્રતિભાનો ગુણ છે. એનો સંબંધ કવિની સજ્જતા સાથે છે(કા. અ. સૂ. ૧.૩.૧૬-૨૦). વળી, વામનનાં આ બધાં સૂત્રો(કા. અ. સૂ. ૩.૨.૬, ૭, ૮, ૯)માં સાહિત્યિક મૌલિકતા તથા અનુકરણનો વિષય પણ અનુસૂત છે. ૬. “માધુર્ય ગુણ-ભરતમુનિના મતે, “ગમે તેટલીવાર, ફરીફરીને સાંભળવામાં
આવે છતાં જે વાક્ય મનને અણગમતું ન લાગે, વાસી કે ફિક્યું ન લાગે તે વાક્ય મધુરગુણથી યુક્ત છે” (ના. શા. ૧૭. ૧૦ અથવા ૧૬.૧૦૩) (અવતરણ ૧૧૩). ભરતની માધુર્યગુણની આ વિભાવના પ્રત્યે કટાક્ષ કરતાં વામનના અનુયાયીઓ કહે છે કે, “ભરતનો આ મધુરગુણ તો, પ્રિયજનનાં રૂક્ષ શબ્દોવાળાં આક્ષેપવચનો જેવો જ છે ! માટે અમારી માધુર્યની વ્યાખ્યા આ છે – “પૃથપદ્રવં માધુર્યમ્' (અવતરણ-૧૪). અર્થાત્ રચનામાં શબ્દો અલગ અલગ હોય તે માધુર્ય (ગુણ) છે (કા. અ. સૂ. ૩.૧.૨૦). આ માધુર્યગુણ (લાંબા) સમાસરહિત હોય છે; જેમ કે, કુમારસંભવ(૧.૧)નો શ્લોક - પ્રત્યુત્તરમ્. ભામહ કહે છે કે, “માધુર્ય અને પ્રસાદ ઇચ્છતા બુદ્ધિમાન કવિઓ વધારે પડતા સમાસવાળાં પદો (શબ્દો) કાવ્યમાં પ્રયોજતા નથી”(કાવ્યાલંકાર ૨.૧).
૪૭૫