SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૮) છે. જેમાં પાર્વતી પર વરસાદનાં પ્રથમ છાંટણાનું વર્ણન છે. ભરતના નાટ્યશાસ્ત્રની બે આવૃત્તિઓમાં આ શ્લેષ - ગુણ વિશે બે શ્લોકો મળે છે. પ્રથમ શ્લોક છે -વિવાહનું વૈવ માવતઃ | ઇત્યાદિ.. (અહીં વિવર્વ પ્રદvi વૃજ્યા ૮ દ્વમાવતિઃ | એવો બીજો પાઠ પણ છે). બીજો શ્લોક છે ક્ષિતિનાર્થનાતે.. ઇત્યાદિ (ના. શા. ૧૭.૯૭-૯૮ અથવા ૧૬.૯૭-૯૮, ‘વિવેક' પૃ. ૨૭૦). શ્લેષ - ગુણ શબ્દનો તથા અર્થને છે એવું પણ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે. તેને એ શ્લોકમાં, શ્લેષને, શબ્દો અને અર્થોના જોડાણ તરીકે વર્ણવ્યો છે. પણ શ્રી હેમચન્દ્રાચાર્યો, શ્લેષની જે વ્યાખ્યા અવતરણ(૧૦૦)માં રજૂ કરી છે તે નાટ્યશાસ્ત્રના પ્રથમ શ્લોક વિવાર દિનમ્... ઇત્યાદિને અનુસરે છે. આ વ્યાખ્યા અંગે આચાર્યશ્રી ટિપ્પણ કરે છે કે, “આ તો શબ્દ અને અર્થના ઉપયોગ અંગેની નિપુણતા છે; આ કોઈ સંદર્ભધર્મ નથી.” પણ, વામનના અનુયાયીઓ કહે છે કે, રચના-રૂ૫ (સાહિત્યિક-સ્વરૂપ) કે રચના-રીતિથી યુક્ત હોવું એ ગુણનો સ્વભાવ છે, સ્વરૂપ છે. એટલે “મસૃણત્વ એ શ્લેષ (શબ્દગુણ) છે(અવતરણ-૧૦૧) - આની સમજૂતી આ પ્રમાણે અપાઈ છે : “જયાં અનેક પદો એક જેવાં લાગે છે તેને “મણત્વ કહે છે.)” (કા. અ. સૂ. ૩.૧.૧૧ની વૃત્તિ) “કુમારસંભવ'નો પહેલો જ શ્લોક પ્રત્યુત્તરસ્યાં વિશિ તેવતાત્મા. આનું સચોટ ઉદાહરણ(૪૦૯) છે. વામનના ઉપરોક્ત શબ્દગુણ શ્લેષની ચર્ચા કર્યા પછી, વામનના અર્થગુણ શ્લેષની વ્યાખ્યા, ઉદાહરણ-વિવરણ સાથે, ગ્રંથકાર અહીં રજૂ કરે એવી સહજ અપેક્ષા રહે; પણ, વામનની “ઘટના શ્લેષ છે” (કા. અ. સૂ. ૩.૨.૪) એવી અર્થગુણ શ્લેષની વ્યાખ્યા અહીં રજૂ થઈ નથી. વામનના મતે ઘટના એટલે ક્રમ, કૌટિલ્ય, અનુબણતા અને ઉપપત્તિનો યોગ” અને એ જ અર્થશ્લેષ. ક્રમ એટલે વ્યવસ્થિત વર્ણન; કૌટિલ્ય એટલે ચમત્કૃતિ (જે પ્રેમની ચાટુ ઉક્તિઓ, વ-ઉક્તિઓ આદિમાં હોય છે); એટલે પ્રશસ્તવર્ણત્વને દંડીના કાન્તિ તથા સૌકુમાર્ય એ બે અર્થગુણો સાથે સંબંધ છે(કાવ્યાદર્શ ૧.૮૫; ૧.૬૯) અને ઉપપત્તિ” એટલે કવિપ્રયુક્તિઓ(poetic devices)નો ઉપયોગ. વામને અમરનો દુર્વાસન એ શ્લોક અર્થગુણ શ્લેષના ઉદાહરણ તરીકે ટાંક્યો છે(કા.અ.મૂ. ૩.૧.૪ની વૃત્તિ). શુદ્રકાદિએ રચેલા પ્રબંધમાં આ અર્થગુણ (શ્લેષ)નો પ્રચુર ઉપયોગ થયો છે એમ વામને કહ્યું છે. આથી જણાય છે કે ઘટનાશ્લેષ ૪૬૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy