________________
ઓજસૂની ‘મર્થસ્થ પ્રૌઢિરોનઃ' અર્થાત્ “અર્થનું પ્રૌઢત્વ એ ઓજસ્ (ગુણ) છે” એવી વ્યાખ્યા આપી છે. આ “પ્રૌઢિ પાંચ પ્રકારની હોય છે(અવતરણ ૯૫; કા. અ. સૂ. ૩.૨.૨-૩): ૧. જ્યાં એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં વાક્યનો પ્રયોગ કરવો; જેમ કે “ચન્દ્ર કહેવાને બદલે “અત્રિ ઋષિની આંખમાંથી પ્રગટતી
જ્યોતિ' એમ કહેવું ૨. જ્યાં વાક્ય જરૂરી હોય ત્યાં શબ્દથી કામ ચલાવવું; જેમ કે, “એ સ્ત્રી દિવ્ય સ્ત્રી નથી; પણ માનવ-સ્ત્રી (મર્ય) છે' એવો વાક્યપ્રયોગ કરવાને બદલે, “(એ આંખની) પલકો હલાવે છે. એમ કહેવું; 3. સંક્ષિપ્ત વાક્યર્થનો વિસ્તાર કરવો; જેમ કે સુખ-દુઃખનો સંબંધ એક આખા શ્લોકમાં વિસ્તારથી કહેવો; ૪. ઘણાં વાક્યોનો અર્થ સંક્ષેપમાં કહેવો (સમાસ) જેમ કે, મિનિયમ મત્સ્ય એ શ્લોક; અને ૫. સાભિપ્રાયત્વ અથવા કાવ્યાત્મક સૂચના; જેમ કે, “સુકેશીના, રતિકાર્યથી શિથિલ કેશપાશ'માં એ ઉક્તિમાં “સુકેશી’ કહેવાથી સાભિપ્રાયત્વ સૂચિત થાય છે.
વામનની આ પંચવિધ અર્થપ્રૌઢિ (અર્થાત્ ઓજસૂ) વિશે વિવેચન કરતાં, હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “આ પ્રૌઢિ કે ઓજસ્ તો માત્ર અર્થનું વૈચિત્ર જ છે,, અથવા ઉક્તિની છટા જ છે અને સાભિપ્રાયરૂપ અર્થગુણ ઓજસ્ ગુણ નથી; પણ “અપુષ્ટાર્થત્વ' નામના અર્થદોષનો અભાવ જ છે. (શ્રીહેમચન્દ્રાચાર્યે ‘પ્રકૃત અર્થને અનુપયોગી શબ્દોનું ગ્રહણ કરવાથી અપુષ્ટાર્થદોષ થાય છે એમ ઉપર(૩.૭ની વૃત્તિમાં) કહ્યું છે. વળી, અર્થ જડ છે તેને વિશે અભિપ્રાય(સાભિપ્રાયત્વ)ની વાત કરવી એ નરી મૂર્ખતા છે અને એ અભિપ્રાય જો વકતાનો કે શ્રોતાનો હોય તો એ અર્થગુણ જ ન કહેવાય. એ અભિપ્રાય જો બીજી વસ્તુ (કે વિચાર)નો આક્ષેપ કરવાની વાત હોય તો તો એ, કવિની સર્જનશક્તિના બળથી ઉત્પન્ન થતો, વક્તાનો જ અભિપ્રાય ઠરે છે - કેમ કે, એ અભિપ્રાય કે ભાવને કાવ્યાત્મક રીતે રજૂ કરાય નહિ તો એ અભિપ્રાય પ્રગટ જ ન થાય. એટલે, પ્રૌઢિ', વસ્તુતઃ, વક્તાની જ હોય છે (વક્તગત જ હોય છે); અર્થના સંદર્ભમાં એ (વક્તગત) “પ્રૌઢિનો પ્રયોગ કરવા તમે મુક્ત છો; એટલે હવે બસ. (‘કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના ચોવીસમા સૂત્રની વૃત્તિ'માં તથા વ્યાખ્યામાં (પૃ. ૭૨-૭૪) અર્થશક્તિમૂલવ્યંગ્યના સંદર્ભમાં, ગ્રંથકારે, આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે.) ૨. “પ્રસાદ ગુણ -આમ, વામને ગણાવેલા દસ ગુણોમાંથી પહેલા ઓજોગુણનું
નિરાકરણ કર્યા પછી હવે ગ્રંથકાર વામનના પ્રસાદ ગુણનું નિરાકરણ કરે
૪૬૬