________________
તેને નીચી દેખાડે છે; ૩. અથવા તો વસ્તુનું યથાર્થ વર્ણન કરે છે. માટે, સમાસની પ્રચુરતા એ “ઓજસ્” છે (માસમૂયર્વમ્ મોન: I કાવ્યાદર્શ ૧.૮૦).
આ ઓજોગુણ સામાન્યતઃ ગદ્યનું આભૂષણ છે; અને કાવ્યમાં પણ, ગૌડ " (કવિઓ) એનો આદર કરે છે. ગદ્યગત ઓજસ્ (ગુણ) “આખ્યાયિકા' વગેરે ગદ્યકાવ્યોમાં જોવા મળે છે; પણ બીજા પ્રકારનો કાવ્યગત ઓજસ્ (ગુણ) દૂરોબ્લડ જેવા શ્લોક (ઉદા. ૪૦૪)માં માણી શકાય છે – જેમાં લાંબા સમાસોનું પ્રાચર્ય છે અને ગાઢ પદરચના છે. પણ દંડી ઓજોગુણને માત્ર ગૌડિયા રીતિ કે ગાંડ માર્ગ સાથે જ જોડે છે (દંડીના મતે બે મુખ્ય માર્ગ છે - વૈદર્ભ માર્ગ અને ગૌડમાર્ગ - કાવ્યાદર્શ ૧.૪૦). તેથી, ગુણ અને રીતિના પ્રમુખ અને પ્રખર પુરસ્કર્તા આચાર્ય વામન તેમ જ ઉપર ઉલ્લેખ પામેલા આચાર્ય મંગલ, દંડીના "મતનો ઉગ્ર વિરોધ કરે છે.
વામન તથા મંગલ કહે છે : (રીતિ સંપ્રદાયમાં) ઓજોગુણ, વૈદર્ભી, ગૌડી અને પાંચાલી એ ત્રણેય રીતિઓમાં સાધારણ (Common) હોય છે; એટલે કેવળ ગૌડિયા રીતિમાં જ ઓજોગુણ મળે છે એમ કહેવું એ અતાર્કિક છે. આમ કહીને, વામન તથા મંગલ કહે છે કે, “બંધ કે રચનાનું ગાઢત્વ (કે “ગાઢબંધત્વ') એ જ ઓજસ્ (ગુણ) છે.” (કા. અ. સૂ. ૩૧.૫); જેમ કે મમવર્ષ. એ ઉદાહરણ (૪૦૫)માં, અક્ષરયોજનાની ચુસ્તતારૂપે ગાઢબંધત્વ છે. આવું જ બીજી રીતિઓમાં પણ જોવા મળશે.
આ તબક્કે, “વિવેક'-કાર, વામને આપેલી ઓજોગુણની વ્યાખ્યાને જાકારો આપતાં કહે છે : “ઓજોગુણ માટે બીજા કોઈ હેતુની તપાસ કરો; પછી ગાઢત્વમ’(ગાઢત્વ)નો આગ્રહ ન રાખશો; કારણ, (તમારું) “ગાઢત્વ' તો ઊલટું ઓજ(ગુણ)ને નુકસાન પહોંચાડે છે. માટે “ગાઢવ” એ ઓજોગુણ નથી.”
હવે, કેમ કે, વામને શબ્દના દસ ગુણો તથા અર્થના દસ ગુણો માન્યા હોવાથી, કુલ વીસ ગુણો થાય છે અને તેમાં એક જ નામવાળા બબ્બે ગુણો છે (કા. અ. સૂ. ૩.૧.૪ અને ૩.૨.૧). આમાંથી વામનના દસ શબ્દ-ગુણો ઉપર દર્શાવ્યા છે (અવતરણ ૮૮) જે વામનના કાવ્યાલંકારસૂત્રના ત્રીજા અધિકરણના પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં નિર્દેશ પામ્યા છે. પછી એ જ અધિકરણના બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં ત વાર્થના:૦ એમ કહીને વામને એ જ નામધારી મોનસ્ વગેરે બીજા દશ અર્થગુણોનો નિર્દેશ કર્યો છે અને પછી પ્રત્યેક અર્થગુણની વ્યાખ્યા આપી ઉદાહરણો રજૂ કર્યા છે. અને ત્યાં જ, અર્થગુણ
૪૬૫
Ro.