________________
શ્રી મિત્રોના મતે, સંસ્કૃતમાં ‘વિધેય’ સંજ્ઞા માત્ર ક્રિયાપદ- અંશ કે અંગ્રેજીમાં જેને પ્રેડિકેટ' કહે છે તેના કરતાં કંઈક, વધારે અર્થવત્તા ધરાવે છે. શ્રી હેમચંદ્રાચાર્ય અવિકૃષ્ટવિધેયાંશત્વ દોષની વ્યાખ્યામાં જે બે શબ્દો “પ્રાધાન્યન અને અનિર્દિષ્ટ - વાપર્યા છે તે બંનેનું પૂરેપૂરું ઔચિત્ય છે. ઉદેશ્ય અને વિધેય બંને વાક્યનો ભાગ છે અને તેથી બંનેનો અલગઅલગ નિર્દેશ થવો જ જોઈએ. આ વિધય-અંશ જ્યારે સમાસનો ભાગ બની જાય છે ત્યારે એ ગૌણ બની જાય છે અને તેથી પદગત ‘અવિપૃવિધેયાંશત્વ દોષ ઉદ્ભવે છે - જેનાં ઉદાહરણો આપણે ઉપર જોયાં છે. આ ઉદાહરણોમાં નકાર કે નિષેધવાચક શબ્દ સમાસમાં આવે છે ત્યારે પદગત દોષ થાય છે, પણ એ નકાર કે નિષેધવાચક પદ અલગ(અસમસ્ત) રજૂ થાય છે ત્યારે પદગત દોષ થતો નથી. ગ્રંથકારે, આ મુદ્દાની ચર્ચા, વ્યક્તિવિવેક (વિમર્શ-૨)નાં આરંભિક અવતરણો લઈને, “વિવેક' (પૃ. ૨૪૩-૨૪૫)માં કરી છે. મમ્મટે પણ “કાવ્યપ્રકાશ' (ઉ.૭)માં, સમાસમાં નિષેધ દર્શાવવાને બદલે, નિષેધનો પ્રધાનપણે નિર્દેશ કરવા નકારવાચક પદ અલગ પાડવાની તરફેણ કરી છે અને એના સચોટ નિદર્શનરૂપે વિકમોર્વશીય (૪.૧)નો નવતર: એ શ્લોક ટાંક્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યે ‘વૃત્તિમાંના' વીવૈવિચ૦ એ શ્લોક ((ઉદા.૩૪૯)ના ટિપ્પણમાંના નિવેદો વિધેય (અહીં ‘ન ઉક્તવાન એમ નિષેધ કરવો જોઈએ) એ શબ્દો લઈને, “વિવેક'માં રજૂ કરેલાં ત્રણ અવતરણો(૭૩, ૭૪, ૭૫) તથા વિવરણને અર્થ આ પ્રમાણે છે : ૧. “જેમાં વિધિ(હકાર)ની અપ્રધાનતા હોય અને પ્રતિષેધ(નિષેધ)ની પ્રધાનતા હોય અને ક્રિયાની સાથે નગ(નકાર)નો ઉપયોગ હોય, તેને પ્રસજયપ્રતિષેધ” કહે છે; જેમ કે “નવ ધર:' એ શ્લોકમાં(વિક્રમો. ૪.૧). અહીં દત નિરવર: એ પ્રયોગ સાચો છે, નિર્દોષ છે; પણ મદનીવિર: એવો નગ(નકારવાચક) સમાસ કર્યો હોત તો તે દોષ ગણાત. આ રીતે નિષેધ વિધેય હોય અને તેનો પ્રાધાન્યથી, અલગ (અસમસ્ત) નિર્દેશ કર્યો હોય તો તે પ્રસપ્રતિષેધ કે સ્પષ્ટ નકાર કહેવાય છે કે અહીં ઈષ્ટ છે. પણ ઉદા. ૩૪૯ના વાવ્યવૈવિ. એ શ્લોકમાં “અનુક્તવાનું એવો જે સામાસિક રૂપમાં નિષેધ છે તે ભારપૂર્વકનો નિષ(નકાર) નથી લાગતો; કેમકે એમાં “ન ઉક્તવા” એમ નિષેધ જુદો પાડીને, ભારપૂર્વક નકાર વ્યક્ત થયો નથી; પણ નન્તપુરુષ સમાસ જેવા ઉત્તરપદપ્રધાન સમાસમાં નકાર(ગ) ગૌણભાવ ધારણ કરે છે જે પદગત “અવિપૃવિધેયાંશત્વ દોષનો દાખલો બને છે. આવા સમાસમાં અપ્રધાન સ્થાને રહેલા, નિષેધને ‘પર્યદાસ
૪૪૧