SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતુમાં), કપડાંની તંગીને કારણે, અમે પૂરા પ્રસરીને સૂઈ શક્તા નથી - જેમ, થર્ વગેરે ધાતુઓ, જ્યારે તે શિત્ નથી હોતા ત્યારે તેમનું સંપ્રસારણ (યનો ) થતું નથી. અહીં બોલનાર તથા સાંભળનાર બંને શાસ્ત્રજ્ઞ છે તેથી વ્યાકરણની પરિભાષાના શબ્દો પ્રયોજવાથી આ શ્લોકમાં વાક્યદોષ થતો નથી. બલકે, એ ગુણરૂપ બને છે. સાહિત્યમાં શ્લીલ-અશ્લીલની સમસ્યા - ૨. “અશ્લીલત્વ દોષ : સાહિત્યમાં શ્લીલ-અશ્લીલની સમસ્યા બહુ પ્રાચીનકાળથી કાવ્યશાસ્ત્રીઓની ચર્ચાનો વિષય રહી છે. પણ ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ અશ્લીલત્વનો વ્યાપક અર્થ માન્યો છે અને જે શબ્દો ૧ વડાવ્યંજક અર્થાત્ લજ્જા - સૂચક હોય; ૨. જુગુપ્સાવ્યંજક હોય; અને ૩. અમંગલચૂક હોય તેમને જ અશ્લીલ ગણ્યા છે. આમ ‘અશ્લીલત્વ દોષ ત્રિવિધ છે એમ શ્રી હેમચંદ્રાચાર્ય સ્પષ્ટ જણાવે છે૧. બ્રીડાવ્યજત્વને કારણે થતો અશ્લીલત્વ દોષ; ૨. જુગુપ્સાવ્યંજકત્વને કારણે થતો અશ્લીલત્વ દોષ અને ૩. અમંગલ વ્યંજકત્વને કારણે થતો અશ્લીલત્વ દોષ. આ દોષ પદગત તથા વાક્યગત હોવાથી ઉભયદોષ છે. આમાંથી બ્રીડભંજક પદગત “અશ્લીલત્વ દોષનું ઉદાહરણ (૨૯૯) સાધનં સુમદ્યસ્થ એ શ્લોક છે. અહીં “સાધન' એ દ્વિ-અર્થી શબ્દ પુરુષના લિંગનો પણ વાચક છે તેથી તે બ્રીડા કે લજ્જાસૂચક છે - જે “અશ્લીલત્વદોષના પ્રથમભેદનું દૃષ્ટાંત બની રહે છે. આવા અનેક વડાવ્યંજક શબ્દો શ્લોકમાં આવે ત્યારે તે વાક્યગત “અશ્લીલત્વ' બને છે; જેમ કે, ભૂપતરુપતી . એ શ્લોક(ઉદા. ૩૦૨)માં ઉપસર્પણ, પ્રહણન અને મોહન એ શબ્દો લજાવ્યંજક છે તેથી અશ્લીલ છે. આ જ રીતે શ્રીહેમચંદ્રાચાર્યે પદગત તથા વાક્યગત જુગુપ્સાવ્યંજક તેમ જ અમંગલવ્યંજક “અશ્લીલત્વ દોષનાં ઉદાહરણો (૩૦૩, ૩૦૪ ઇ.) આપ્યાં છે, જેમાં ઊલટી વગેરે શબ્દો જુગુપ્સાભંજક છે અને સ્મશાન વગેરે અમંગલવ્યંજક શબ્દો છે. આ ત્રિવિધ “અશ્લીલત્વ' દોષ ક્યારેક ગુણ પણ બને છે; જેમ કે પ્રેમક્રીડાના આરંભે થતી વાતચીતમાં. કામશાસ્ત્રમાં કહ્યું છે કે – “ગુપ્ત વસ્તુ દ્વિઅર્થી શબ્દો વડે છુપાવવી. આને અનુસરીને હિતેન સંજ્ઞાપ જેવા બે અર્થવાળા શ્લોકો સુરતની શરૂઆતમાં ગુણરૂપ ગણાય છે(ઉદા. ૩૦૫). આ શ્લોક નીચે, વૃત્તિમાં, ગ્રંથકારે “કરિહસ્ત કોને કહેવાય તે સમજાવતો શ્લોક રજૂ ૪૩૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy