SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પદનો સંબંધ, રાક્ષસોનાં (ક્ષપાવારિણામ) એ પદ સાથે છે પણ તે બે પદોનો અન્વય થઈ શક્તો નથી; કારણ, (વૈ:) એ પદ ત્રીજી વિભક્તિમાં છે, જ્યારે (ક્ષાવાળાનું) એ (વિશેષ્ય) પદ છઠ્ઠી વિભક્તિમાં છે. અર્થાત્ બંને પદો જુદી જુદી વિભક્તિમાં છે તેથી તેમનો અન્વય ઘટતો નથી. આથી, પાવામિક એવો પ્રયોગ કરીએ તો એ શબ્દ તૃતીયા વિભક્તિવાળું બને અને તેનો : એ તૃતીયાન્ત પદ સાથે સમન્વય થઈ શકે. આમ થતાં જ વિભક્તિભેદથી થતો અનન્વય દોષ દૂર થઈ જશે. 1. પણ શ્રી હેમચન્દ્રાચાર્યે ઉપરોક્ત : તાંત્રિમાનસરિત: એ શ્લોક(ઉદા. ૨૭૮)નું વિવરણ શાસ્ત્રીય પરિભાષામાં કર્યું છે. તેઓ કહે છે કે “અંગ(અપ્રધાન) અને અંગી (પ્રધાન)નો સંબંધ હોય છે; નહીં કે અંગો(અપ્રધાનો)નો બીજા " (અપ્રધાનનો) સાથે; આમ ચત્ અને યત્ એ બે સર્વનામોનો નિત્યસંબંધ છે તે અંગ અને અંગીનો સંબંધ છે; નહીં કે કેવળ વત્ શબ્દવાળાં જ વાક્યોનો આપસમાં થતો (અન્વય) સંબંધ - આ શાસ્ત્રીય નિયમ છે. આથી, સદ્ શબ્દવાળાં અનેક વાક્યો હોય તો પણ એક પણ સમન્વિત અર્થ પ્રગટ થઈ શક્તો નથી. એટલે ઉપરોક્ત શ્લોકની બીજી પંક્તિમાં આવતા વૈઃ શબ્દથી વિશેષ્ય (નામ, કર્તા, ક્ષપાવરિન)ની પ્રતીતિ થતી નથી. માટે વૈક તૃતીયાન્ત છે તેની સાથે ક્ષાવારનું એ તૃતીયાન્ત વિશેષ્ય હોય તો અન્વયે બરાબર થાય અને અનન્વિતત્વ દોષ દૂર થઈ જાય.” વૃત્તિમાંના આ વિવરણમાં યુવતે શબ્દ છે તેને લઈને આ વિષયની વિશેષ ચર્ચા ‘વિવેક'(પૃ. ૨૪)માં કરવામાં આવી છે : સમન્વય બરાબર થાય(યુ) એનો અર્થ એ છે કે જો સપરિણામના સ્થાને ક્ષધિ એમ પાઠ કરીએ તો શ્લોકમાંના ત્રણેય ય-શબ્દો (અર્થાત્ પ્રથમ અને તૃતીય પંક્તિમાં બે વાર આવતો પણ્ડયન્ત પામ્ શબ્દ અને બીજી પંક્તિમાં આવતો તતાયાન્ત હૈ: શબ્દ)થી દર્શાવાતા અર્થો, શ્લોકના અંગીરૂપ લાવામિ એ મુખ્ય શબ્દ સાથે સામંજસ્યપૂર્વક સંબંધ અનુભવશે. એટલે કે બરાબર સમન્વિત થઈ જશે અને તેથી ‘અન્વિતત્વ દોષ ટળશે. અથવા “રઘુવંશ(૧૬.૭૧)નો તૈનાવરો.' એ શ્લોક(ઉદા. ૩૫૦) લો-“સરયૂ નદીમાં પોતાની બધી રાણીઓ સાથે જલક્રીડા કરી રહેલો રાજા કુશ આકાશગંગામાં અપ્સરાઓ સાથે રમતા ઇન્દ્ર જેવો બન્યો.” આ શ્લોકમાં અનુયાતિ(અનુગમન, અનુકરણ) એ ક્રિયા મારફતે રાજા(કુશ) અને ઇન્દ્રના કર્ત-કર્મભાવ કહેવાનો કવિનો ઉદેશ છે. પણ એ સંબંધ કવિએ ૪ ૨૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy