SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ આથી અહીં “અનન્વિતત્વ દોષ છે. મમ્મટે નિરૂપેલો “અભવન્મતયોગ દોષ શ્રી હેમચંદ્રાચાર્યને “અનન્વિત દોષ જ છે; કારણ કે જયારે વાક્યમાંના શબ્દોનો પરસ્પર સંબંધ દર્શાવાયો ન હોય એટલે કે જયારે પદોનો પરસ્પર અન્વય થઈ શક્તો ન હોય ત્યારે “અભવન્મતયોગ દોષ ઉત્પન્ન થાય છે. - સમવન્ મમતો યોનો યત્ર ! (પ્રદીપ, પૃ. ૨૧૫). આ દોષમાં પદોના અર્થોનો સંબંધ જ પ્રતીત થતો નથી. એ જ રીતે બને છે : ૧. વિભક્તિભેદથી (ઉદ. વેષાં તાન્નિશેમાનસરિત:) ૨. ન્યૂનપદને કારણે (ત્વમેવ સૌન્દર્યા.) ૩. આકાંક્ષાના અભાવથી (ઉદા. સંગ્રામમા તેન) ૪. વાચ્ય અને વ્યંગ્યના વિવક્ષિત સંબંધના અભાવને કારણે (ઉદા. વાપવીર્યસ્ત્રિપુરવની ) ૫. સમાસમાં અભિમત સંબંધ ઢંકાઈ જવાથી (ઉદા. વેવારો વકૃત્વિા:૦) અને ૬. વ્યુત્પત્તિવિરોધથી (ઉદા. નડ્ડઝાડોનાલૅ૦). - શ્રી હેમચંદ્રાચાર્યે ‘અનન્વિતત્વ દોષનું બીજું ઉદાહરણ(૨૭૭) “રઘુવંશ'(૩.૬૪)માંથી આપ્યું છે. નિર્ધાતોઐ:.. ઇત્યાદિ.આ શ્લોકતથા તેના ઉપરનું સંપૂર્ણ ટિપ્પણ, મહિમભટ્ટના વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાં મળે છે. ત્યાં “વાચ્યાવચન” દોષની ચર્ચામાં, “અન્વયનો અભાવ' (અનન્વિતત્વમ) હોય તો તે પણ વાચ્યાવચનદોષ કહેવાય” એમ કહીને મહિમભટ્ટે આ શ્લોક રજૂ કરી અનન્વયરૂપ વાચ્યાવચન દોષના ઉદાહરણ તરીકે આ શ્લોકની સમજૂતી આપી છે તે સહેજ ફેરફાર સાથે અહીં પ્રસ્તુત થઈ છે. ઉદાહરણ-શ્લોકનો ભાવાર્થ એ છે કે રાજા દશરથે સિંહોને મારવા ધાર્યા, કારણ કે સિંહોના “મૃગરાજએ વિશેષણમાંનો રાજા શબ્દ દશરથ સાંખી શક્યો નહીં. “અહીં સિંહો માટે “રાજશબ્દ” (રાજા એ શબ્દો સંભવતો નથી; કેમ કે નથી તો “રાજા” શબ્દની સિંહમાં અભિધા કે નથી એ સિંહોનો એ રાજશબ્દ સાથે કોઈ સંબંધ જો કે એ સિંહના પર્યાય “મૃગરાજ' શબ્દનો સંબંધ છે; તોપણ એ સંબંધ અહીં ઉપયોગમાં લેવાયો નથી; કેમ કે અહીં એ “ગરાજ' શબ્દ નથી તો પહેલાં ક્યારેય કહેવાય કે નથી અહીં કહેવાયો - જો કે અહીં કૃપાનું (મૃગોનો)ની જગ્યાએ મૃRIનાના(મૃગરાજાનો) એમ કહી શકાયું હોત. ઉપરાંત, સિંહનું રાજાપણું જંગલી પશુઓ પર હોય છે, “મૃગ' એ શબ્દ પર નહીં (એ હમેશાં અર્થમાં હોય છે) એટલે, વીર્યો એ (પરાક્રમસૂચક) વિશેષણ એ (સિંહ શબ્દ) સાથે ઘટતું નથી. એ હમેશાં અર્થમાં હોય છે. આમ, સિંહોનો, મૃગોનો કે વીર્યોદગ્રત્વનો રાજશબ્દ સાથે અન્વય(સંબંધ) બેસતો નથી. તેથી એ રાજશબ્દ અહીં “અવાચ્ય છે.) એટલે, “રાજભાવે અથવા “મૃગેવુ” એવો પાઠ બરાબર છે.” ૪૨૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy