SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અક્રમત્વને અલગ દોષ ન ગણવો તિના સ્થાન અંગે મહિમભટ્ટના ઉપરોક્ત શ્લોકો “વિવેકામાં રજૂ કર્યા પછી શ્રી હેમચંદ્રાચાર્ય નોંધે છે કે “આમ, “અક્રમત્વને પૃથફદોષ તરીકે ગણવો ન જોઈએ; કેમ કે, “અક્રમત્વ દોષ, ઉપરોક્ત “અસ્થાનસ્થત્વ' દોષમાં જ સમાઈ જાય છે. અહીં નોંધવું જોઈએ કે મમ્મટે “અસ્થાનપદત્વ' અને “અક્રમ–” એ બંને જુદા જુદા દોષો માન્યા છે અને “અક્રમત્વ'નાં ઉદાહરણ તરીકે કુમારસંભવનો યં તિમ્' અને શક્ટ્રિનિંગ્લિંશનેય એ બે શ્લોકો પ્રસ્તુત કર્યા છે. આ બંને શ્લોકો શ્રી હેમચન્દ્રાચાર્યે, “અસ્થાનસ્થપદવ’નાં ઉદાહરણો(૨૪૦, ૨૪૧) તરીકે પ્રસ્તુત કર્યા છે. અને મમ્મટે “અસ્થાસ્થપદત્વના ઉદાહરણ તરીકે રજૂ કરેલા ‘કિરાતાર્જુનીયર(૮.૩૭)ના શ્લોકનો પણ શ્રી હેમચન્દ્રાચાર્યે “અસ્થાનસ્થપદત્વના ' ઉદાહરણ તરીકે, ટિપ્પણ સાથે, ઉપયોગ કર્યો છે(ઉદા. ૨૩૯). આમ કાવ્યાનુશાસન'ના કર્તાની દૃષ્ટિએ અક્રમત્વ સ્વતંત્ર દોષ નથી; અસ્થાનસ્થપદત્વનો ભાગ જ છે. ‘વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્યે “રઘુવંશ' (૧૬.૩૩)માંથી “તીર્થે તીરે જનસેતુવન્થાત્ પ્રતીપ/પુરતોડ મિ' (અર્થાત્ તે પર્વતના ઢોળાવમાં એના તીર્થમાં હાથીના પુલથી પ્રતીપગા(પશ્ચિમવાહિની) ગંગાને પાર કરી રહેલા આને માટે, આકાશમાં ઊડતાં ને પાંખો હલાવતાં હંસ, કુદરતી ચામર બની રહ્યાં) એ પંક્તિ ટાંકે છે અને વૃત્તિમાં કહે છે કે, “અહીં પરામર્શનીય વિષયને કહ્યા વિના જ એનો “જે (તદીય'નું ‘ત) એ સર્વનામથી પરામર્શ કર્યો છે તે “અસ્થાનસ્થપદત્વ દોષ છે. નોંધપાત્ર છે કે મહિમભટ્ટ “વ્યક્તિવિવેક (વિમર્શ-૨, પૃ. ૩૨)માં એન્ટ્ર ટોપના ઉદાહરણ તરીકે રઘુવંશનો આ શ્લોક(૬.૩૩) ટાંક્યો છે અને ઉપરના જ શબ્દોમાં એનું વિવરણ કરીને કહ્યું છે કે આ ક્રમભેદનો દોષ છે; અને ઉમેર્યું છે કે, પ્રકરણથી પ્રાપ્ત અર્થ, એ સર્વનામનો વિષય ગણાય છે; નહીં કે આગળ આવનારો(અર્થ); કારણ કે, એ સર્વનામનો પરામર્શ, સ્મરણરૂપ પરામર્શ જ હોય છે અને સ્મૃતિનો વિષય અનુભૂત જ હોય છે; આગળ જતાં અનુભવમાં આવનાર(વિષય) નહીં. અહીં સર્વનામથી થતા સ્મરણરૂપ પરામર્શમાં માત્ર પ્રતીતિસામાન્યને અનુભવ ગણવામાં આવ્યો છે; ઇન્દ્રિયોથી થતો પ્રત્યક્ષ અનુભવ નહીં. અહીં આ ગંગારૂપી અર્થ, જેનો પરામર્શ થઈ શકે એવું, પહેલાં થયેલું જ્ઞાન નથી(એટલે અહીં પરામર્શનો ક્રમભેદ થયો છે.)” “વિવેક'માં ૪૧૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy