________________
ઉક્તપદત્વ દોષ જ્યાં ગુણ બને છે તેવો નથતિ સુપતિમાં એ શ્લોક ગ્રંથકારે ઉદાહરણ(૨૩૬) તરીકે રજૂ કર્યો છે. આ શ્લોકમાં પૂર્વાશા(પૂર્વદિશા) એ પદ બે વાર પ્રયોજાયું છે પણ ભિન્ન ભિન્ન અન્વયોમાં. એટલે, આ શ્લોક લાટાનુપ્રાસનું દૃષ્ટાંત છે અને તેથી તેમાં ઉક્તપદત્વ દોષ થતો નથી; બલકે એ ગુણ બને છે. ઉક્તપદવ એ ધ્વનિમાં દોષ નથી
આવી જ રીતે, શબ્દશક્તિમૂલધ્વનિમાં, ખાસ કરીને અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિમાં, એકનો એક શબ્દ આવૃત્તિ પામે તો તેથી ઉતપદત્વ દોષ થતો નથી, પણ ગુણ થાય છે. જેમ કે ઉદા. ૨૩૭માં રજૂ થયેલી ‘વિષમબાણલીલા'ની ગાથા - તાતા જ્ઞાતિ .... ઇત્યાદિ. આનંદવર્ધને રચેલી આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે –
तदा जायन्ते गुणा यदा ते सहृदयैर्गह्यन्ते ।
रविकिरणानुगृहीतानि भवन्ति कमलानि कमलानि ॥ અર્થાતું, “જ્યારે ગુણો સહૃદયો વડે સ્વીકારાય છે ત્યારે જ તે, ખરેખર ગુણ બને છે. જ્યારે સૂર્યનાં કિરણો અનુગ્રહ કરે છે ત્યારે જ કમળ, કમળ બને છે.”
અહીં કમળ શબ્દ બે વાર આવ્યો છે પણ તે દોષરૂપ નથી, બલકે, ગુણરૂપ છે; કારણ કે આ ગાથા શબ્દધ્વતિમૂલધ્વનિનું ઉદાહરણ છે અને એમાં બીજો કમળ શબ્દ અનેક સુંદર વ્યંગ્યાર્થોથી સભર છે. આનંદવર્ધને આ ગાથા ધ્વન્યાલોક(૨.૧ની વૃત્તિ)માં અર્થાન્તરસંક્રમિત વાચ્યધ્વનિના ઉદાહરણ તરીકે રજૂ કરી છે અને કહ્યું છે કે અહીં બીજો, “કમળ' શબ્દ વ્યંગ્યપૂર્ણ છે. મમ્મટે પણ આ ગાથા આ જ સંદર્ભમાં રજૂ કરી છે. જ્યારે એક વાર ઉલ્લેખ પામી ચૂકેલી કોઈ વસ્તુને ફરીથી કહેવા માટે શબ્દની આવૃત્તિ કરવી પડે ત્યારે તેની આવૃત્તિ વાજબી જ નહીં પણ જરૂરી ગણાય છે; જેમ કે, ઉદાહરણ ૨૩૮માં આવતા
શ્લોકમાં ‘નિદ્રિયવં વિનયી સાધનં ગુપ્ર વિનયવિધ્યતે.' એમ ‘વિનય' શબ્દ બે વાર આવે છે ત્યાં ઉક્તપદત્વ કે કથિતપદત્વનો દોષ થતો નથી. પણ એ ગુણ ગણાય છે. મમ્મટે કહ્યું છે કે, “કથિતપદ એ ક્યારેક (૧) લાટાનુપ્રાસમાં, (૨) અર્થાન્તરસંક્રમિત વાચ્યમાં અને (૩) વિધેયના અનુવાદમાં ગુણ બની જાય છે'(કા. પ. ૭.૫૯).
૪૧૦