________________
ઉત્પન્ન થતી એકતાનો ભ્રમ છે; કારણ, શબ્દ, અર્થના ભેદથી ભિન્ન બની જાય છે (૨.૭૧). એટલે જ એના જ પર્યાયથી અથવા સ્વયં એનાથી અથવા સર્વનામથી નિર્દેશ કરવો - જો ધર્મી અને ધર્મ બન્નેના બોધ માટે આર્થ હેતુતા સિદ્ધ કરવી હોય તો.(૨.૭૨) તાત્પર્ય એ કે એક (શબ્દ)નો અનેકવાર પ્રયોગ એ આવૃત્તિ કહેવાય છે. અર્થ ભિન્ન થઈ જવાથી શબ્દને એક ન માનવો. અર્થનો ભેદ પ્રધાન છે. આથી, અહીં ખરેખર વિદ્યમાન બે શબ્દોનું જે સાદેશ્ય છે તે સાદશ્યથી ઉત્પન્ન થતો એકતાનો જે ભ્રમ છે તેના આધારે આ આવૃત્તિવ્યવહાર ચાલુ થયો છે. એટલે જ, આવૃત્તિ યોગ્ય ન હોવાથી, બન્ને વસ્તુ(ધર્મ-ધર્મ)નું પ્રતિપાદન જરૂરી છે. આથી જૂનપદત્વ કે વાચ્યાવચનત્વનો દોષ દૂર કરવા માટે “યં તિ સંપ્રતિ તી શોતાં તમામ પ્રાર્થના પતિન: ' એ સુધારેલો પાઠ યોગ્ય છે. એ અલ્પદોષવાળો છે (વ્યક્તિવિવેક, ૨.૭૦, ૭૧-૭૨)..
આપણે એ વાત યાદ રાખવાની છે કે વ્યક્તિવિવેકનો ઉપરોક્ત ગદ્યખંડ ‘વિવેક'માં કેટલાક આમ કહે છે એમ કહીને એક પક્ષ તરીકે રજૂ થયો છે. એટલે જ, વિવેક'ના પૃ. ૨૦૪ પર “ન્યૂનપદત્વમ્ ઇતિ' એ શબ્દો પછી, ગ્રંથકાર, વયં તુ તૂમ: I' (પણ અમે કહીએ છીએ કે) એમ કહીને ઉપરોક્ત ગદ્યખંડમાં વ્યક્ત થયેલા મંતવ્ય અંગે પોતાનો વ્યંજનાવાદી મત રજૂ કરે છે. “શબ્દની કંઈ અભિધાવૃત્તિ એકલી જ વૃત્તિ નથી કે એક જ અર્થ આપીને તે વૃત્તિ ખલાસ થવાથી બીજો શબ્દ કે બીજો અર્થ યોજવો પડે. અથવા તેનો તે શબ્દ ફરીથી કહેવો પડે (તે શબ્દની આવૃત્તિ કરવી પડે). વસ્તુતઃ, કાવ્યના રસિયાઓ જ માત્ર અનુભવી શકે તેવી વ્યંજનારૂપ બીજી વૃત્તિ(શબ્દશક્તિ) પણ હોય છે અને આ રીતે, બીજી વૃત્તિ(વ્યંજના) માનવાથી એક જ શબ્દ વડે, વાચ્યાર્થીની સાથે સાથે જ વ્યંગ્યાથેની પ્રતીતિ પણ, અનિવાર્ય રીતે, થાય છે. જેમ કે, પરમેશ્વરવાચક અનેક શબ્દો હોવા છતાં, ઉપરોક્ત ઉદાહરણમાં કવિએ “કપાલી' એ શબ્દ શિવને માટે પ્રયોજયો છે તે બીભત્સરસના આલંબનવિભાવ હોઈને “કપાલી’ એ (સ્થાયી ભાવ)ને યોગ્ય છે એવો અર્થ વ્યંજિત થાય છે. સંપ્રતિ’ અને ‘દયમ્' એમ જે કહ્યું છે તે ખૂબ જ રમણીય છે. કેમ કે, પહેલાં માત્ર ચંદ્રની કાંતિમતી કલા જ કપાલીના કુસંગથી દૂષિત થઈ હોવાથી શોચનીય દશાને પામી હતી; પણ હવે તો તેં(ઉમાએ) પણ એ ચંદ્રકલાની તે પ્રકારની ખોટી પ્રવૃત્તિમાં સાથ આપવાની શરૂઆત કરી દીધી છે. આ રીતે, અહીં બષધારી શંકર (કપાલી પોતે). ઉમાનો ઉપહાસ કરે છે. ઉપરોક્ત શ્લોકમાં પ્રાર્થના” શબ્દ પણ ખૂબ રમણીય
૪૦૭