________________
છે કે, “ગુણો તથા દોષો એ રસના ધર્મો છે અને તે બન્ને, અનુક્રમે રસના ઉત્કર્ષ તથા અપકર્ષના હેતુઓ છે(કા. અ. શા. ૧.૧૨).” પણ ઉપચારથી કે લક્ષણાથી (અત્યા), ગુણ તથા દોષ શબ્દના ધર્મ કહેવાય છે. આ બાબતનો નિર્ણય અન્વય અને વ્યતિરેકથી થઈ શકે છે. એ આપણે અગાઉ જોયું છે. દોષો તથા ગુણો એ એક સંયુક્ત ખ્યાલ છે. કેમ કે, ગુણ તેમ જ દોષ બન્ને એક જ આશ્રય કે સ્થાનમાં રહે છે. વળી, એ પણ સુવિદિત છે કે દોષો, અમુક રસવિશેષમાં જ દોષો હોય છે, શબ્દમાં કે અર્થમાં હોતા નથી; નહિતર, દોષ હમેશાં દોષ જે રહે, કદાપિ ગુણ ન બને. પણ એમ બનતું નથી. કેટલીકવાર, એક રસમાં જે દોષ હોય છે તે બીજા રસમાં ખરેખર ગુણ બની જાય છે. દા. ત. કષ્ટત્વ વગેરે દોષો, બીભત્સ રસમાં ગુણો ગણાય છે. એવી જ રીતે, હાસ્યરસમાં તથા બીજા રસોમાં અલીલત્વ વગેરે દોષ ગુણરૂપ ગણાય છે. આથી, આ દોષો, શબ્દ કે અર્થના ધર્મો નથી તેમ જ તેમને આશ્રયે રહેતા નથી એ સ્પષ્ટ થાય છે. આ દોષો નિત્ય નથી હોતા. જ્યાં રસ હોય ત્યાં એની સાથે સંબંદ્ધ, દોષો હોય છે, અને જયારે એ રસ નથી હોતો ત્યારે એ દોષ પણ જતા રહે છે. આમ, રસ અને દોષ વચ્ચે અનિવાર્ય સંબંધ એટલે કે વ્યાપ્તિ સંબંધ હોય છે. પરિણામે, ગુણ અને રસ વચ્ચે પણ એવો જ અનિવાર્ય કે નિયત સંબંધ હોય છે.
આમ, શ્રી હેમચન્દ્રાચાર્યના મતે દોષો અનિત્ય છે અને તેઓ રસના અપકર્ષનું કારણ છે. કાવ્યમાં રસ જ મુખ્યાર્થ છે તેથી દોષ રસના પ્રભાવને હાનિકર્તા છે. મમ્મટના શબ્દોમાં દોષ એ જ મુખ્ય અર્થને થતી હાનિ છે અને એટલે જ એ મુડ્યાર્થતિ એવી દોષની વ્યાખ્યા આપે છે.... દોષના પ્રમુખ ભેદો
કાવ્યાનુસાશનના ત્રીજા અધ્યાયનાં પ્રથમ સાત સૂત્રોમાં, શ્રી હેમચંદ્રાચાર્ય, વ્યાપક દૃષ્ટિથી, દોષના આ પ્રમાણે મુખ્ય ભેદો નિરૂપે છે:
૧. રસદોષો ૨. પદદોષો ૩. વાક્યદોષો ૪. ઉભયદોષો અને પ. અર્થદોષી
ત્રીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં, રસનો, કાવ્યમાં, નામથી ઉલ્લેખ કરવાથી થતા દોષ'ની વ્યાખ્યા છે : રસાવે શબ્દો: વરિત્ સંવારિવ: રોષ . (૩.૧; સળંગ સૂત્ર ૮૫).
અર્થાત્ “રસ વગેરેનો નામથી (સ્વશબ્દથી) ઉલ્લેખ કરવો એ દોષ છે - પણ સંચારી ભાવનો આવો ઉલ્લેખ એ એમાં અપવાદ છે (દોષ નથી). રસમાં ભાવનો પણ સમાવેશ થાય છે અને પ્રથમ સૂત્રની વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે તે
૩૭૧