________________
તેમનું પૂરેપૂરું અવગમન કરાવી શકતા નથી. કેવળ વાણી કે શબ્દો એ કંઈ વાચિક અભિનય નથી; પણ શબ્દોથી કે વાણીથી થતું કાર્ય તે વાચિક અભિનય કહેવાય, જેમ અંગોથી થતું કાર્ય તે આંગિક અભિનય કહેવાય છે, તેથી જ તો -
મારો શોક ખૂબ વધી ગયો છે, અગાધ છે, હદ બહારનો છે, ખૂબ ભારે છે એ ખરું; પણ, જેમ વડવાનલ સાગરને પી જાય છે તેમ મારો ક્રોધ એ (શોકને) પી જાય છે.” (ઉદા. ૧૫૬) અને
“શોકથી થયેલા સ્તંભ(સ્તબ્ધતા)ને લઈને એ એવો પડ્યો છે કે, એના સચિવો, જેમનું રડવું હૈયાફાટ છે, તેઓ, રખેને એનું હૃદય ફાટી જશે એવા ભયથી, તેને, રડવા માટે વિનંતી કરે છે.” (ઉદા. ૧૫૭)
- આ શ્લોકમાં શોક અભિનયથી વ્યક્ત થતો નથી; પણ માત્ર નામથી, શબ્દથી જ કહેવાય છે.”
પણ -
“મારું ચિત્ર આલેખતાં તેની (સાગરિકાની) આંખમાં પુષ્કળ આસું પડ્યાં જણાય છે; પરંતુ એ આંસુ, તેની હથેળીના સ્પર્શથી મારા શરીરે પરસેવો પ્રગટ્યો હોય તેવાં લાગે છે,” એ, રત્નાવલી નાટિકા (૨.૧૧ ઉદા. ૧૫૮)નો શ્લોક, પોતાનો અર્થ કહેવાની સાથે સાથે ઉદયન રાજાને સુખાત્મક “રતિ” એ સ્થાયી ભાવ અભિનયથી રજૂ કરે છે; શબ્દોથી કહેતો નથી. અવગમન કરાવવાની (અભિનયની) શક્તિ તે અવગમન. વાચકત્વથી એ શક્તિ જુદી છે. એટલે જ ભરતના રસસૂત્રમાં
સ્થાયી(ભાવ) એ પદનો, જુદી વિભક્તિમાં (છઠ્ઠી વિભક્તિમાં) મૂકીને પણ, ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ, અનુકરણ કરાતી પતિ તે શૃંગાર(રસ). શ્રી હેમચન્દ્રાચાર્ય ધર્મકીર્તિનાં વચનો ટાંકે છે - મિથ્યાજ્ઞાનને લાગેવળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે મિથ્યાજ્ઞાન પણ કેટલીકવાર કાર્યસાધક હોય છે. આ મુદ્દાનું સમર્થન કરવા શ્રી હેમચન્દ્રાચાર્ય, ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક ગ્રંથ(૨.૫૭)ની એક કારિકા વિવેક(પૃ. ૯૩)માં ટાંકે છે - મળી... ઇત્યાદિ. આ કારિકાનો અર્થ આવો છે - “મણિની અને દીવાની પ્રભા(પ્રકાશ)ને, મણિ માનીને, બે માણસો તે લેવા દોડ્યા; પણ જે માણસ દીવાની પ્રજાને મણિ માનીને દોડ્યો હતો તે છોભીલો પડ્યો; પણ જે માણસ મણિની પ્રભાને મણિ માની દોડ્યો હતો તે મણિ પામ્યો. આ બન્નેને મળેલાં ફળ જુદાં જુદાં છે પણ બન્નેના મિથ્યાજ્ઞાનમાં ફરક નથી.”
૨૮૧