________________
મમ્મટે પદની વ્યંજકતાના દાખલા પણ આપ્યા છે. “કાવ્યપ્રકાશ'ના ચોથા ઉલ્લાસની બેતાલીસમી કારિકા(સુત્ર-પ૯)માં “ડjન્ય (બીજા ધ્વનિપ્રકારો પદમાં પણ સંભવે છે) એમ કહીને મમ્મટે, વૃત્તિમાં, પદપ્રકાશ્ય ધ્વનિના દાખલા આપ્યા છે - ત્યાં પદ વડે થતા રસાદિયંગ્યના પણ દાખલા આપ્યા છે. પણ ભાવાદિના પદપ્રકાશ્યત્વ અંગે આ પ્રમાણે વિધાન કર્યું છે : “ભાવતિનાં પાશ્યત્વેડધિજૈન વૈવિમિતિ તદુહાઠ્ઠિયતે ||' અર્થાત્ ભાવાદિ પદપ્રકાશ્ય થાય છે ત્યારે તેમાં વિશેષ ચારુત્વ હોતું નથી તેથી તેના દાખલા આપ્યા નથી. આ જ શબ્દોમાં શ્રી હેમચન્દ્રાચાર્યે પણ પચીસમા સૂત્રની વૃત્તિમાં, રસાદિની પદપ્રકાશ્યતા વિશેની ચર્ચાનો ઉપસંહાર કરતાં, ભાવાદિની પદપ્રકાશ્યતાનાં ઉદાહરણો આપવાનું આવશ્યક નથી એમ જણાવ્યું છે. એ જ રીતે, મમ્મટે, ઉપરોક્ત એકસઠમા સૂત્ર(૪.૬૧)માં વર્ણની વ્યંજકતા તથા રચનાની બંજકતાનો ઉલ્લેખ કર્યો છે પણ 'એમનાં ઉદાહરણો આપ્યાં નથી. તે અંગે વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે કે “વfવનાનાં ચંનત્યં સ્વરૂપનિરૂપ દ્ર ષ્યતે ( એટલે કે વર્ણ તથા રચનાની વ્યંજકતાના દાખલા (કાવ્યપ્રકાશના આઠમા ઉલ્લાસમાં) ગુણના સ્વરૂપના નિરૂપણ પ્રસંગે આપવામાં આવશે. પછી એકસઠમા સૂત્રમાં જે પ (પણ) એ શબ્દ છે તેનો મર્મ સ્પષ્ટ કરતાં મમ્મટ કહે છે કે પરબ્દાત્ પ્રવધુ નાટવુિં (રસાયઃ) | એટલે કે “પણ” શબ્દથી પ્રબન્યોમાંથી અને નાટકોમાંથી પણ રસાદિ વ્યંજિત થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યે આ બે મુદા-વર્ણ-રચનાની બંજકતાનો મુદો તથા પ્રબંધ-નાટકાદિમાંથી પણ રસની બંજકતાનો મુદો - એમ બે મુદ્દાઓ વિશે પચીસમા સૂત્રની વૃત્તિની સમાપ્તિ કરતાં, મમ્મટની માફક જ, કહ્યું છે કે
પ્રબંધની રસભંજકતાના દાખલા નાટકાદિ ગ્રંથોમાંથી મળે જ છે અને વર્ણ તથા રચના તો સાક્ષાત્ માધુર્ય વગેરે ગુણવ્યંજક હોવાથી અને ગુણોદ્વારા જ રસભંજક હોવાથી તેમની વ્યંજકતાની ચર્ચા ગુણ-પ્રકરણમાં એટલે કે કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયમાં કરવામાં આવશે.” પંદ, વાક્ય અને પ્રબંધમાં રસ વ્યંજિત થાય છે
શ્રી હેમચન્દ્રાચાર્યે પચીસમા સૂત્રની વૃત્તિમાં પદ-પદાંશ ઇત્યાદિથી થતી રસ-વ્યંજકતા સોદાહરણ નિરૂપી છે પણ વાક્યથી થતી રસભંજકતાનાં ઉદાહરણો આપ્યાં નથી. તેનો ખુલાસો કરતાં તેઓશ્રી વૃત્તિના અંતિમ પરિચ્છેદમાં કહે છે : વચિરસનિત્યં રણવિન્નક્ષ વોરારિષ્યતે અર્થાત્ વાક્ય, રસાદિનું વ્યંજક બને છે. પણ તેનાં ઉદાહરણો રસાદિનાં લક્ષણો નિરૂપતી વખતે
૨૫૯