SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાપદના ભૂતકાળના રૂપથી થાય છે. એટલે આ વાક્ય કાળની વ્યંજકતા સૂચવે છે. મમ્મટે આ વાક્ય રજૂ કર્યું છે અને ટિપ્પણમાં કહ્યું છે કે “આમાં કાલની વ્યંજકતા છે. શિવધનુષ્યનો ભંગ કર્યો તેથી રામ ઉપર કોપાયમાન થયેલા પરશુરામની આ ઉક્તિ છે.” આમ અહીં ભૂતકાળ રૌદ્રરસનો ભંજક બને છે. અહીં સુધી હેમચંદ્રાચાર્યે પ્રત્યય, ઉપસર્ગ, નિપાત કે અવ્યય આદિની વ્યંજકતાનાં રસિક ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે; હવે પ્રત્યય લગાડતાં પહેલાંના મૂળ શબ્દ જેને વ્યાકરણમાં “પ્રકૃતિ' કહે છે તેના એક અંશ(પ્રકૃત્યંશ) વડે સૂચિત થતા વ્યંગ્યાર્થનું ઉદાહરણ (૯૧) આપે છે - હું નત્તિ ઇત્યાદિ. આ શ્લોક રજૂ કરતાં પહેલાં ગ્રંથકારે પ્રાસ્તાવિક શબ્દો કહ્યા છે : “જેમ પ્રત્યાયના અંશનું ઘતકત્વ કે વ્યંજકત્વ હોય છે તેમ પ્રકૃતિના અંશનું પણ બંજકત્વ હોય છે.” સુદામાના ઘરના વર્ણનને લગતા આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે: “એ . મારું નમેલી ભીંતોવાળું ઘર (ક્યાં) અને આ આકાશને ચૂમતો મહેલ (ક્યાં) ? એ (મારી) ઘરડી ગાય (ક્યાં) અને મેઘોના જેવા કાળા હાથીઓની ગર્જના કરતી હાર (ક્યાં) ? એ ધીમો સાંબેલાનો અવાજ (ક્યાં) અને આ સુંદર સ્ત્રીઓનું મીઠું મધુરું સંગીત (ક્યાં) ? ખૂબ આશ્ચર્યની વાત છે કે આટલા દિવસોમાં જ આ બ્રાહ્મણ(સુદામા)ને આવી ઊંચી સ્થિર્તિએ પહોંચાડી દીધો !” સુદામાની “તૂટી સરખી ઝૂંપડી', તેમના બાળપણના સખા શ્રીકૃષ્ણની કૃપાથી સુંદર, સમૃદ્ધ, વૈભવશાળી મહેલમાં પલટાઈ ગઈ તેથી આશ્ચર્યમૂઢ બનેલા સુદામાના આ શબ્દોમાં વિક્ષે:(આટલા દિવસોમાં) એ પદ તૃતીયા વિભક્તિના બહુવચનમાં છે. તેમાં પ્રત્યય સિવાયનો મૂળ શબ્દ દિવસ છે તે પ્રકૃતિ-ભાગ છે અને તે અહીં વ્યંજક બને છે. આનંદવર્ધને પ્રકૃતિ-અંશના વ્યંજકત્વના દાખલારૂપે આ શ્લોક(ધ્વ.આ. ૩.૧૬ની વૃત્તિમાં) ટાંકીને,ટિપ્પણમાં કહ્યું છે કે અહીં, ‘દિવસે;” (દિવસોમાં) એ પદમાં પ્રકૃતિ-અંશ (એટલે કે શબ્દનો પ્રકૃતિ-ભાગ) વ્યંજક છે.” આ શ્લોક પરના વિગતવાર ટિપ્પણમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે: “અહીં ‘દિવસોમાં એ અર્થથી કદી કલ્પનામાં ન આવે તેવી (આશ્ચર્યકારક) સ્થિતિ છે એવું સૂચિત થાય છે. તા(તે) એ મૂળ શબ્દ (પ્રકૃતિ-અંશ), નત્તિનમેલી ભીંતવાળુ (ઘર)એ મૂળ શબ્દ(પ્રકૃતિ-અંશ)ની મદદથી, (સુદામાનું પહેલાનું ઘર) સર્વથા અમંગલ અને ઉંદરો વગેરેથી વ્યાપી રહેલું હતું, એવો ૨૫૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy