________________
ઉપરની ગાથા(વિવેક ઉદા. ૧૪૫)માં ‘નનુ’ એ વિતર્ક તથા ઉત્પ્રેક્ષાસૂચક શબ્દ છે એટલે ત્યાં અસંબદ્ધતાનું નિરાકરણ થઈ ગયું છે એવું કોઈ માને તો આ શ્લોક (ત્રાસì:) રજૂ કરવાથી સ્પષ્ટ થાય છે કે ‘ઇવ' વગેરે કોઈ પણ શબ્દ અહીં નથી છતાં ઉત્પ્રેક્ષા ધ્વનિત થાય છે. મૃગ ક્યાંય સ્થિર ન થયો કેમ કે તેની સર્વસ્વભૂત નેત્રશોભા જ સ્ત્રીઓએ કાન સુધી ખેંચેલાં નેત્રરૂપી બાણોથી હણાઈ ગઈ હતી. આ પણ અસંબદ્ધ હોય એમ કોઈ શંકા કરે તો ધ્વનિકાર જવાબ આપે છે ઃ ના, કેમ કે રાજ્વાર્થવ્યવહારે હિ પ્રસિદ્ધિરવ પ્રમાળમ્. અર્થાત્, શબ્દ તથા અર્થના ઉપયોગમાં પ્રસિદ્ધ જ પ્રમાણ છે. એટલે કે, ઉપરનાં ઉદાહરણોમાં ઉત્પ્રેક્ષાનો અર્થ પ્રતીત થાય છે કે નહીં તેનો પુરાવો એકમાત્ર સહૃદયોની પ્રતીતિ જ છે. આ સહૃદયોને ઉત્પ્રેક્ષા પ્રતીત થતી હોય તો અસંબદ્ધતાનો પ્રશ્ન જ નથી રહેતો.
હવે વિવેકમાં દીપકધ્વનિનો દાખલો (ઉદા. ૧૪૭) ૨જૂ થાય છે - મા મન્વન્તર્... ઇત્યાદિ. આ શ્લોક અભિનવગુપ્તની ધ્વન્યાલોક-લોચન’ ટીકા(પૃ. ૨૭૪)માંથી, વિવરણવાક્ય સાથે, અહીં રજૂ થયો છે. ઉપમાધ્વનિ, અર્થાન્તરન્યાસધ્વનિ અને ઉત્પ્રેક્ષાધ્વનિનાં ત્રણ ઉદાહરણો(વૃત્તિ ૭૦, વિવેક૧૪૩-૧૪૬) ધ્વન્યાલોકમાંથી રજૂ કર્યા પછી, ગ્રંથકાર, બે ઉદાહરણો(૧૪૭૧૪૮) તથા વિવેચન, લોચનમાંથી રજૂ કરે છે. પણ પછી ઉદા. ૧૪૯ ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માંથી અહીં ઉદ્ધૃત કરે છે.
મા ભવન્તમ્ એ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : ’’હે વૃક્ષ, લતાની સાથે તારું કલ્યાણ થાઓ. તને ન અગ્નિ, ન પવન, ન મદોન્મત્ત હાથી કે ન પરશુ અથવા ન ઇન્દ્રના હાથમાંથી નીકળેલું વજા પણ (બાધારૂપ થઈ પડો).’’
દીપકધ્વનિના દાખલારૂપ આ શ્લોકનું લોચન(પૃ. ૨૭૪)માં વિવરણ કરતાં અભિનવગુપ્ત લખે છે કે, ‘અહીં બાધારૂપ (ન) થઈ પડો' એ ગોપ્યમાન દીપક(અલંકાર)થી જ વૃક્ષ કવિને અત્યંત પ્રિય છે તેની પ્રતિપત્તિ થતાં જ ચારુતાની નિષ્પત્તિ થાય છે.’’ (વિવેક પૃ. ૭૭)
હવે અપ્રસ્તુતપ્રશંસાધ્વનિનો અન્યોક્તિરૂપ દાખલો ઢુદ્ધુન્તો॰ એ ગાથા, (વિવેક પૃ. ૭૭) વડે આપે છે. આ ગાથાનું સંસ્કૃત રૂપ છે : વૈષયન્મરિસિ कष्टककलितानि केतकीवनानि । मालतीकुसुमेन समं भ्रमर भ्राम्यन् न प्राप्स्यसि ॥ અર્થાત્ ’’હે ભમરા ! કાંટાળાં કેતકીવનોમાં શોધ કરતો તું આમ જ મરી જઈશ. પણ માલતીના ફૂલ જેવું બીજું કંઈ પણ રખડવા છતાં તને નહિ મળે.”
૨૩૮