________________
લક્ષણા માની છે. પણ શ્રી હેમચન્દ્રાચાર્યે કેવળ પ્રયોજનવતી લક્ષણા જ સ્વીકારી છે. ગંગાયાં ઘોષઃ”માં શૈત્યપાવનત્વ વગેરે પ્રયોજનની પ્રતીતિ કરાવવા લક્ષણાનો આશ્રય લેવાય છે. પણ આ પ્રયોજન પ્રતીત થાય છે વ્યંજનાથી; નહિ કે લક્ષણાથી. વધારે ચોકસાઈથી કહીએ તો દૈત્યપાવનત્વ એ કેવળ ગંગા શબ્દ વડે, વ્યંજનાવ્યાપારથી પ્રતીત થાય છે. આને જ લક્ષણામૂલા વ્યંજના કહે છે. આ ક્રિયા શબ્દકગમ્ય કે લાક્ષણિક શબ્દમાત્રથી ગમ્ય છે. એટલે કે પ્રયોજન, બીજા, શબ્દતર પ્રમાણ જેમ કે અનુમાન,પ્રત્યક્ષ વગેરેથી પ્રતીત થતું નથી.આમ અભિધા કે લક્ષણાથી પ્રયોજન પ્રતીત થતું નથી – જે પ્રયોજનને સૂચવવા માટે લક્ષણાનો પ્રયોગ થયો છે. ગંગાયાં ઘોષ:' એ દાખલામાં શીતળતા, પવિત્રતા વગેરે ધર્મો અભિધાથી સમજાતા નથી; કેમ કે ત્યાં સંકેતનો અભાવ છે. અને લક્ષણા પ્રયોજનની પ્રતીતિ કરાવી શકતી નથી; કેમ કે “ગંગાતટ'ને લક્ષિત કર્યા પછી લક્ષણાવ્યાપાર અટકી જાય છે. દ્વિતીયલક્ષણાવાદ અને વિશિષ્ટલક્ષણાવાદનું ખંડન
જો પ્રયોજનને લક્ષિત કરવા માટે બીજી લક્ષણાનો આશ્રય લેવામાં આવે તો તે યોગ્ય નથી; કારણ, લક્ષણાનાં ત્રણ કારણો(મુખ્યાર્થબાધ, નિમિત્ત અને પ્રયોજન) ત્યાં મોજૂદ નથી. આમ, “ગંગાયઘોષઃ એ દાખલામાં, દૈત્યપાવનત્વાદિ ધ બીજી લક્ષણા કરવાથી લક્ષિત થઈ શકતા નથી, કેમ કે, બીજી લક્ષણા માટે આપણે બીજું પ્રયોજન માનવું પડશે – અને એમ પ્રયોજન પછી પ્રયોજન માનતા જ જવું પડશે; અને એનો અંત જ નહીં આવે. પણ જો આપણે વ્યંજનાવૃત્તિને સ્વીકારીએ તો દૈત્યપાવનત્વાદિ પ્રયોજનની સહેલાઈથી પ્રતીતિ થશે. વળી, બીજી લક્ષણાને ખાતર વ્યંજનાનો ઇનકાર કરવાથી અનવસ્થા સર્જાશે; લાભ કરતાં ગેરલાભ વધારે થશે. આથી દ્વિતીય લક્ષણાવાદીની હઠ ખોટી છે.
પણ, આ બાબતમાં બીજો એક મત છે તે ‘વિશિષ્ટલક્ષણાવાદ' તરીકે ઓળખાય છે. આ મત મુજબ, “ગંગાયાં ઘોષ એ દાખલામાં પ્રયોજનની પ્રતીતિ માટે બીજી લક્ષણા કરવાની જરૂર નથી, કેમ કે, પ્રથમ લક્ષણા જ દૈત્યપાવનત્વાદિથી વિશિષ્ટ ગંગાતટને લક્ષિત કરે છે. એટલે વ્યંજનાવ્યાપાર માનવાની જરૂર રહેતી નથી. બીજા શબ્દોમાં, વિશિષ્ટલક્ષણાવાદી માને છે કે “ગંગાયાં ઘોષ:' એ દાખલામાં “પાવનત્વાદિધર્મયુક્તતટ' એ લક્ષ્યાર્થ છે.
આની સામે જવાબ એ છે કે શૈત્યાદિથી વિશિષ્ટ તટ એ લક્ષ્યાર્થ યોગ્ય નથી. કારણ, લક્ષણા, પ્રયોજનથી વિશિષ્ટ અર્થને લક્ષિત કરે છે એમ માનવું
૨૧૪