SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તારમુવર્યત સ ગોડથ યત્ર તુ ન તથા ૪ નફ્ટ તિ વિવે: ' અર્થાત્ “અહીં (ગૌણાર્થ- લક્ષ્યાર્થીની બાબતમાં) જે સ્થળે એક વસ્તુ પર બીજી વસ્તુનો આરોપ કરાય છે તે સ્થળે ગૌણ અર્થને પ્રયોગ હોય છે; અને જે સ્થળે આવું નથી હતું ત્યાં લક્ષ્યાર્થીનો પ્રયોગ હોય છે. આવો ગૌણાર્થ અને લક્ષ્યાર્થ એ બે અર્થોમાં ફરક સમજવાનો છે. બાકી ગૌણાર્થ - લક્ષ્યાર્થ બધી રીતે સમાન છે. કાવ્યપ્રકાશ(૨.૧૩ની વૃત્તિ)માં મમ્મટના ૩૫ારે મિશ્રિતત્વ એટલે કે “ઉપચારનું મિશ્રણ ન હોવાથી એ શબ્દોનું વિવરણ કરતાં, માણિજ્યચંદ્ર આ જ શબ્દો વાપરે છેઃ 'उपचारेणेति । यथा गौर्वाहीक इत्यत्र वस्त्वन्तरे वस्त्वन्तरमुपचर्यते' - અહીં આરોપના અર્થમાં ઉપચાર સમજાવ્યો છે. એટલે જ્યાં આરોપ હોય ત્યાં ગૌણી, જ્યાં આરોપ ન હોય ત્યાં લક્ષણા. આમ તો લક્ષણાની વ્યાખ્યામાં જ (કા.પ્ર. ૨.૧૨માં) મમ્મટે લક્ષણાને આરોપિતા ક્રિયા કહી છે. અને લક્ષણાના (૧) શુદ્ધા અને (૨) ગૌણી બન્ને ભેદોમાં, સારોપા (આરોપ સાથેની) લક્ષણાને પટાભેદ પાડયો છે જે ગૌણી સારોપા(વહી:) અને શુદ્ધસારોપા (માયુષ્કૃતમ્) તરીકે ઓળખાય છે. “લક્ષણા આરોપિતા ક્રિયા” લક્ષણાને મમ્મટે ‘આરોપિતા ક્રિયા' ઉહી છે - તક્ષા બારોfપતા ક્રિયા (કા.પ્ર. ૨.૧૨), તે, લક્ષણાને શબ્દવૃત્તિ ગણીને કહી છે. પણ ખરું જોતાં લક્ષણાશક્તિ શબ્દમાં રહેલી નથી પણ શબ્દના વાચ્યાર્થમાં રહેલી છે. અર્થાતું, લક્ષણા એ અર્થની શક્તિ છે, અર્થવૃત્તિ છે; શબ્દની શક્તિ નથી, શબ્દવૃત્તિ નથી. આમ, ગંગાયાં ઘોષ” એ ઉદાહરણમાં, લક્ષણા “ગંગા' શબ્દમાં રહેલી છે એમ આપણે કહીએ છીએ. પણ, સાચું કહીએ તો, લક્ષણા, “ગંગા' એ શબ્દના વાચ્યાર્થ, “ગંગાપ્રવાહમાં રહેલી છે. આમ લક્ષણ એ શબ્દ ઉપર કેવળ આરોપિત કરેલી વૃત્તિ છે; જ્યારે ખરેખર એ શબ્દના વાચ્યાર્થની શક્તિ છે. મમ્મટે ઉપરોક્ત સૂત્રની વૃત્તિમાં “બાપfપતિઃ શવ્યાપIR: સાન્તરાર્થાનિકો સૂક્ષણા' એમ કહ્યું છે. એનો અર્થ એ છે કે લક્ષણાવ્યાપાર શબ્દનો સ્વાભાવિક વ્યાપાર નથી પણ આરોપિત વ્યાપાર છે અને તે વાચ્યાર્થના વ્યવધાનપૂર્વક શબ્દ સાથે જોડાયેલો છે. અભિથા એ શબ્દની સ્વાભાવિક શક્તિ છે, સીધી શક્તિ છે, અવ્યવહિત શક્તિ છે; પણ લક્ષ્યાર્થ વાચક શબ્દ વડે સીધો સમજાતો નથી. પહેલાં વાચ્યાર્થ સમજાય, પછી તે બાધિત થાય; તેમાંથી તેની સાથે સામીપ્ય, સાહચર્ય, સાદશ્ય વગેરે સંબંધ ધરાવતો અર્થ ગ્રહણ કરાય છે. અર્થાત્, મુખ્યાર્થમાંથી ૧૬૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy