________________
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીના માનદ મંત્રી શ્રી નટુભાઈ પુજારાનો મારા કાર્યમાં સહકાર 'રહ્યો છે. નિયામક ડૉ. રશ્મિકાન્ત પી. મહેતા અને ડૉ. પ્રજ્ઞા જોષીની સાથે કેટલાક મુદ્દાઓ પર વિચારણા કરી છે. તેમનો આભાર.
મારા કાર્યમાં સૂચનો કરી મને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. આર. સી. શાહ – નવસારી, પ્રા. જે. એન. શેલત-વલસાડ, ડૉ. ડી. જી. વેક્રિયા-પાટણ, ડૉ. જે. એસ. પટેલ-વિસનગર, પ્રિ. આર. આર. શાહ-કપડવંજ તથા મુ. ડૉ. રમેશભાઈ બેટાઈ– અમદાવાદનો હું આભાર માનું છું.
મારા આ ગ્રંથનું મૂલ્યાંકન કરી અભિપ્રાય અને ઉષ્માભર્યો આવકાર આપવા બદલ, અલંકારશાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન પ્રિ. જયાનન્દભાઈ દવે સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
‘અલંકાર શાસ્ત્રમાં’ રસ જગાડનાર એલ. ડી. આર્ટ્સ કોલેજના મારા ગુરુ સ્વ. પ્રોફે. રા. બ. આઠવલે સાહેબ તથા પૂ. ડૉ. એસ્તબેન સોલોમન, તથા એસ. પી. યુનિ. વલ્લભવિદ્યાનગરનાં ડૉ. ચિત્રાબહેન શુક્લ અને ડૉ. કે. એચ. ત્રિવેદીને હું સાદર વંદન કરું છું.
ઝુકરીડીંગમાં મદદરૂપ થનાર મારી પુત્રીઓ પ્રા. સૌ. મિતાબેન, સૌ. હર્ષકા, સૌ. અવની તથા ચિ. મેધા તથા કામ જલદી પૂરું કરવાની પ્રેરણા આપતાં રહેનાર શ્રીમતી ચંદનબેનનો સહર્ષ ઉલ્લેખ કરું છું.
આવું આર્થિક રોકાણ માંગી લેતું છતાં ઉપયોગી કામ થાય તેમાં રસ લેનાર પાર્શ્વ પબ્લેિકશનના માલિક પ્રિય શ્રી બાબુભાઈ, તેમના સ્ટાફના સભ્યો, લેસર કંપોઝ અને મુદ્રણનું કાર્ય કરનાર સૌનો હાર્દિક આભાર.
નિજ આષાઢી બીજ, રથયાત્રા
તા. ૧૭-૭-૧૯૯૬
અમદાવાદ-૧૫.
ગોવિંદલાલ શં. રાહ