________________
તૃતીય ઉધોતઃ ૪૪
અસંલક્ષ્યમવ્યંગ્ય’નો પોતાના બીજા પ્રભેદો સાથે એક વ્યંજકાનુપ્રવેશ (સંકર) બહોળા પ્રમાણમાં હોઈ શકે છે. જેમ કે 'ઘિશ્યામ” (ધ્વન્યા. ૨/૧ વૃત્તિમાં) પોતાના ભેદની સાથે “સંસૃષ્ટિ” જેમ કે પહેલાં આપેલા ઉદાહરણમાં જ (ધ્ધ. ૨/૧માં) અહીં “અર્થાન્તરસંક્રમિત’ અને ‘અત્યંતતિરસ્કૃત વાચ્ય” (ધ્વનિ)નો સંસર્ગ છે.
ગુણીભૂતવ્યંગ્યનું (ધ્વનિની સાથે) સંકીર્ણત્વ (સંકર) જેમ કે “ચક્ષાનો યમેવ ને યયઃ (ધ્વન્યા. ૩/૧૬ની વૃત્તિમાં)...ઇત્યાદિમાં. અથવા જેમ કે, ““જુગારમાં કપટ કરનારો, લાક્ષાગૃહમાં આગ પ્રગટાવનારો, અતિ અભિમાની, દ્રોપદીના કેશ અને ઉત્તરીય ખેંચવામાં પવન (જેવો), પાંડવો જેના દાસ (હતા) તેવો, દુઃશાસન વગેરે (ભાઈઓ)નો વડીલ, અંગરાજનો મિત્ર આ પેલો રાજા દુર્યોધન કયાં રહેલો છે, તે કહો અમે તેને રોષથી જોવા માટે નથી આવ્યા.”
અહીં વ્યંગ્યવિશિષ્ટવાચ્ય બતાવનારા શબ્દોની સાથે, વાક્યના પ્રધાન અર્થરૂપ બનેલ “અલક્ષ્યમવ્યંગ્ય’નું સંમિશ્રણ (સંકર) છે.
અને એથી ગુણીભૂતવ્યંગ્યના પદાર્થોશ્રિત હોવામાં અને ધ્વનિના વાક્યોર્યાશ્રિત હોવામાં સંકીર્ણતા થતાં પણ પોતાના અન્ય પ્રભેદની જેમ વિરોધ નથી. જેમ કે ધ્વનિના અન્ય પ્રભેદ પરસ્પર સંકીર્ણ (સંકરવાળા) હોય છે. અને પદાર્થ અને વાક્યર્થના આશ્રયે હોવાથી વિરુદ્ધ નથી.
વળી, એકવ્યંગ્યાશ્રયત્નમાં (અર્થાત્ એક જ વ્યંગ્યનું આશ્રયત્ન હોય તો) પ્રધાન તથા ગુણભાવનો પરસ્પર વિરોધ હોય છે, વ્યંગ્યભેદની દષ્ટિથી નહી. એથી પણ આનો ('ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય’ના સંકરનો) વિરોધ નથી.
આ “સંકર’ અને ‘સંસૃષ્ટિનો વ્યવહાર ઘણાના એકત્ર વાચ્યવાચકભાવની પેઠે વ્યંગ્યવ્યંજકભાવ હોય ત્યારે પણ અવિરોધી જ માનવો જોઈએ.
જ્યાં કોઈક પદો “અવિવક્ષિત વાચ્ય” વાળા કે “અનુરણન વ્યંગ્યવાળાં હોય ત્યાં ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય’નું સંસૃષ્ટત્વ (સમજવું). જેમ કે- “તેવાં જોપવધૂવિના મુદ્દા' ઇત્યાદિમાં (ધ્ધ. ૨ /પની વૃત્તિમાં) (અર્થાત્ ગોપવધૂઓના વિલાસના સખા...ઈ.).
અહીં ‘વિતાસસુહલ' (વિલાસના સખા) અને રાધા : સાક્ષિાનું' (રાધાની એકાંત કીડાના સાક્ષી આ બંને પદ ધ્વનિરૂપ છે અને તે” તથા “ના” આ બંને પદ ગુણીભૂતવ્યંગ્યરૂપ છે.
વાચ્ય અલંકારોનું સંકીર્ણત્વ અલક્ષ્યમવ્યંગ્યની અપેક્ષાએ રસવાળાં અને અલંકારવાળાં બધાં કાવ્ય સુવ્યવસ્થિત હોય છે. અન્ય પ્રભેદોનું પણ કદાચિત્ સંકીર્ણત્વ હોય છે જ. જેમ કે મારા જ (નીચેના શ્લોકમાં)