________________
તૃતીય ઉદ્યોતઃ ૧૫, ૧૬
૧૮૧ કારિકા-૧૫ અને વૃત્તિ છે અને વળી, ““આ ધ્વનિનો અનુસ્વાનસદશ (=સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ)નો જે પ્રભેદ કહ્યો છે તે પણ કેટલાક પ્રબંધોમાં ભાસે છે.”
આ ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ ધ્વનિનો ‘અનુરણનરૂપવ્યંગ્ય’ પણ જે પ્રભેદ બે પ્રકારનો કહ્યો છે તે પણ કેટલાક પ્રબંધોમાં ઘોતિત (=વ્યંજિત) થાય છે. તે જેમકે “મધુમથન વિજ્યમાં 'પાંચજન્ય'ની ઉક્તિઓમાં અથવા જેમકે મારા જ વિષમબાણલીલા'માં કામદેવના સહચરના સમાગમ પ્રસંગમાં અને જેમ કે મહાભારતમાં ‘ગીધ અને શિયાળનો સંવાદ' વગેરેમાં.
કારિકા-૧૬ અને વૃત્તિ : “સુપ (પ્રથમા વગેરે વિભક્તિ), તિ (ક્રિયાપદને લગાવાતા કાળવાચક પ્રત્યયો), વચન (એક, કિ, બહુવચન), સંબંધ (પછી વિભક્તિ), કારક શક્તિ, કૃત (જેનાથી કૃદંત બને છે તેવા પ્રત્યયો), તદ્ધિત (એ જાતના પ્રત્યયો) અને સમાસથી પણ કોઈવાર અસંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ વ્યંજિત થતો હોય છે.”
૧૨.૧ ધ્વનિનો આત્મા અલક્ષ્યમાં રસ ઈત્યાદિ સુની વિશેષતાઓથી, તિક્ની વિશેષતાઓથી, વચનની વિશેષતાઓથી, કારકશક્તિઓથી, કૃત્ પ્રત્યાયની વિશેષતાઓથી, તદ્ધિતની વિશેષતાઓથી અને સમાસોથી (વ્યક્ત થાય છે) “ચ” શબ્દથી નિપાત, ઉપસર્ગ, કાલ વગેરેના વપરાશથી (પણ તે) દેખાય છે. (એમ અર્થ છે). જેમકે, “આ મારું અપમાન (ચક્કાર) છે, કે મારાય શત્રુઓ છે. તેમાં પણ એ તાપસ છે, તેઓ પણ અહીં પણ રાક્ષસકુળને હણી રહ્યા છે. અહો! રાવણ પણ જીવી રહ્યો છે. ઈન્દ્રજિત મેઘનાદને ધિક્કાર છે, ધિક્કાર છે. જગાડવામાં આવેલા કુંભકર્ણથી શું? સ્વર્ગરૂપી નાના ગામડાનો નાશ કરવામાં નકામી ફૂલેલી ભુજાઓથી પણ શું?”
આ શ્લોકમાં ઘણે ભાગે આ બધાં પદોનું વ્યંજકત્વ સ્પષ્ટ પ્રતીત થાય છે. તેમાંથી “ને યાય -મારા શત્રુઓ હોય - એનાથી સુપ, સંબંધ અને વચનનું અભિવ્યંજકત્વ (સ્પષ્ટ પ્રતીત થાય છે.) તત્રાર્થણી તાપસ - ‘તેમાંયે આ તાપસી અહીં તદ્ધિત અને નિપાતનું, ‘ોડવ્યસૈવ નિન્તિ લાલુપ્ત વીવો વળ:” અહીં (નિતિ અને નીતિ’ પદોનું) તિક્ અને (ક્ષત્ત તથા રાવળ પદોમાં કર્મ તથા કર્તારૂપ) કારક શક્તિઓનું “પિન્ ધિક્ શનિતમ્” ઈત્યાદિ શ્લોકાર્ધમાં કૃત્ (શક્રજિનો ‘કિવ પ્રત્યય), તદ્ધિત (ગ્રામટિશ નો “રા' પ્રત્યય) સમાસ (સ્વર્ગગ્રામટિકા) અને ઉપસર્ગો (વિનુન નો વિઉપસર્ગ)નું (વ્યંજત્વ છે). ----