________________
દ્વિતીય ઉધોતઃ ૧
દ્વિતીય ઉદ્યોત
કારિકા-૧ અને વૃત્તિ - આમ (પ્રથમ ઉદ્યોતમાં)
૧.૧ અવિવક્ષિતવાચ્ય (Eલક્ષણામૂલ) અને વિવક્ષિતાન્યપરવાચ્ય (=અભિધામૂલ) ભેદથી બે પ્રકારનો ધ્વનિ છે, એમ) પ્રકાશિત કરવામાં આવ્યું (વર્ણન કર્યું હતું.) તેમાંથી “અવિવક્ષિતવાચ્ય’ના પેટાભેદોના પ્રતિપાદન માટે આ (કારિકા) કહે છે
અવિવક્ષિત વાચ્ય ધ્વનિનું વાચ્ય (વાચ્યાર્થ) બે પ્રકારનું હોય છે (૧) અર્થાન્તરમાં સંક્રમિત (૨) અત્યન્ત તિરસ્કૃત.”
અને તે પ્રકારના તે બંને ભેદોથી વ્યંગ્યની (વ્યંગ્યાર્થીની) જ વિશેષતા સધાય છે.
૧.૨ તેમાં ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય’ (નું ઉદાહરણ) જેમકે- “સ્નિગ્ધ અને શ્યામલ મેવોની કાન્તિથી આકાશ લીંપાઈ રહ્યું છે, વાદળોની ચારે બાજુ હર્ષપરવશ બલાકાઓ (બગલીઓ) ઊડી રહી છે, વાયુ જલકણોથી વ્યાપ્ત હોવાને કારણે અત્યંત શીતળ છે, (અક્ષરશઃ - વાયુ જલકણોવાળો છે), મેઘોના મિત્ર મયૂરોની આનંદદાયક, (પ્રકૃતિ મધુર) કેકાવાણી પણ વ્યાપ્ત થઈ રહી છે. ચાલ્યા કરે, હું તો કઠોર હૃદય રામ છું. બધું સહન કરી લઉં છું પણ વૈકહીની (સીતાની) શું દશા હશે ? અરેરે ! કવી. ધીરજ રાખજ."
અહીં , શબ્દ અર્થાન્તર સંક્રમિત વાચ્ય છે.) આનાથી કેવળ સંજ્ઞા (રામ) નું જ પ્રત્યાયન બોધ). નથી થતું પણ બીજા વ્યગ્ય ધર્મોથી વિશિષ્ટ (અનેક દુ:ખ સહન કરનાર) સંજ્ઞીનો-વ્યક્તિનો- (એવા રામનો) બોધ થાય છે. અથવા જેમકે મારાજ ‘વિષમબાણલીલા’ (નામના કાવ્ય)માં
“(ગુણ) ત્યારે ગુણ બને છે જ્યારે સો તેમને ગ્રહણ કરે છે. સૂર્યકિરણો દ્વારા અનુગૃહીત કમળ જ કમળ બને છે.”
૧.૩ “અત્યન્તતિરસ્કૃતવાચ્ય’ (નું ઉદાહરણ) જેમકે આદિકવિ વાલ્મીકિનો (આ શ્લોક) -
જેની શોભા સૂર્યમાં સંક્રાન્ત થઈ ગઈ છે (અર્થાતુ હેમન્ત ઋતુમાં સૂર્ય પણ ચંદ્રની જેમ આલ્ફાકારક થઈ જાય છે), જેનું બિંબ તુષારથી ઘેરાયેલું છે તે ચંદ્ર, નિઃશ્વાસથી અંધ (મલિન) દર્પણની જેમ પ્રકાશિત થતો નથી.'
અહીં ‘' શબ્દ (અત્યન્તતિરસ્કૃત વાચ્યનું ઉદાહરણ છે)
મદમાતાં વાદળોથી આચ્છાદિત આકાશ, (વર્ષાની) ધારાઓથી ડોલતાં અર્જુન વૃક્ષોનાં વન, નિરહંકાર ચંદ્રવાળી (વર્ષાઋતુની અંધકારમયી) કાળી રાતો પણ મનને હરી લે છે.”