SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશી રાજાના દેશ પ્રશ્ના [ ૨૩૨ પ્રત્યુત્તરમાં કેશી અણુગાર કહે છે કે, રાજન્ ! તારી મુખ્ય પટરાણી સૂરીકાન્તા રાણી સાથે કોઈ હલકા મનુષ્ય ખરાબ વર્તન કરતા હાય ને તે તારી નજરે આવી જાય તે રાજન્ તેને તું કેવીક સજા કરે ? મહાત્મન્ ! આવું કોઈ કરે તે તેને હુ શુળીએ ચડાવી દઉં, તેનાં શરીરનાં ટુકડા કરાવી નાંખુ ! રાજન, તે કામાંધ મનુષ્ય કહે કે, રાજન્ તમારે મને જે સજા કરવી હેાય તે કરો પણ ઘડીકવાર ચેાલી જાઓ, હું મારા સંબંધીઓને ઘેરે જઇને ચેતવી આવુ` કે, કોઈ મારી જેમ આવું ખરાખ વન કરશેા નહી, નહીતર મારી જેમ તમારે પણ માતની સજા ભાગવવી પડશે. રાજન્ તું તે અપરાધીને ઘેર જવા દે ખરો ? પ્રભુ ! હું તેને એક ક્ષણ પણ કયાંય દૂર ન જવા દઉં ! રાજન, તેવીજ રીતે નરકમાં ગએલા જીવાત્માઓને અહિ આવવાની ઇચ્છા થાય છે પણ નારકે પરમાધામીને એવા તે વશ પડેલાં હાય છે કે, તેને ઘડીકે પરમાધામીએ પેાતાનાથી વિખુટાં પડવા દેતા નથી. એટલે આવી પરાધીનતામાં સપડાએલા તારા દાદા તને અહિં ચેતવવા કયાંથી આવી શકે ? ખીજુ કારણ એ છે કે, નરકગતિની તીવ્ર વેદનાં નારકાને વિષ્ણુલ કરી નાંખે છે, એટલે તે બિચારાં મૂઢ જેવા બની જાય છે. ત્રીજું કારણ એ છે કે, આયુષ્ય કપુરૂન ભોગવાય ત્યાં સુધી નારા ત્યાંથી નીકળી શકતા નથી, કારણ કે ત્યાનું આયુષ્ય નિરૂપક્રમ હોય છે અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ અને એછામાં એછું દશ હજાર વર્ષનું હાય છે. વેદનીય ક` પણ પુરૂ' ન ભગવાય ત્યાં સુધી પણ નારકા છૂટકારા પામી શકતા નથી, માટે પરલેાકગામી આત્મા છે એ વાત નિશ્ચિત છે.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy