________________
૩૮
રુફ રાજાનું પતન બળ, કે ચીનનાં આક્રમણ જેવી વસ્તુ ઊભી થાય તે. હૈયે ધ્રાસકે પડે ને? વિચારવા જેવું છે કે આ આંચકે, આઘાત, ધ્રાસકે પડવામાં શું કારણ છે? જડ જીવન કે બીજું કાંઈ ? જડ જીવનમાં હૃદય એવું દુર્બળ બની જાય છે કે અનિષ્ટ સંવેગોને વિચાર માત્ર પણ અસહ્ય બને છે. ત્યારે,
જે જડ જીવનથી જ પ્રાસકા પડે છે, તે નિશ્ચિતતા-નિર્ભયતા કેમ આવે, એ વિચારે.
પરમાત્માની ભક્તિ, એમનું શ્રદ્ધા-ભરપૂર શરણ. ધર્મવૃદ્ધિ-ગુણવૃદ્ધિ અને શુભ અધ્યવસાય મુખ્ય કરેલા. હેય એવા જીવનની બલિહારી છે કે દિલને સુંદર કેન્ટિની નિર્ભયતા નિશ્ચિન્તતા આપે છે ! એથી એવા ધ્રાસક આઘાતઆંચકાના ભંગ નથી બનવું પડતું. સ્વસ્થ જીવનધારા વહે જાય છે. દુનિયા પાસે આ નથી; પણ જે આપણને વીતરાગ અરિહંત પરમાત્મા અને એમનું શાસન તથા એને સચોટ રીતે અનુસરનારા મહાપુરૂષનાં આદર્શ-જીવનનાં આલંબન મળ્યાં છે, તે આપણે તે એવી સ્વસ્થતા જીવનધારા બનાવીએ ને?
જીવનની બધી પ્રવૃત્તિને સારે સરવાળો શુભ અધ્યવસાયની રક્ષા તથા વૃદ્ધિ છે.
આ સતત લક્ષમાં રહે ને ? અને એ માટેના મુખ્ય પ્રયત્નમાં રહ્યા કરીએ ને ?
મનના ઉઠાવાને વશ ન થાઓ –