________________
૫૯
મહેંગલાચરણ
પણ તે મળી ગયેલી સીંદરી (કાથીની દોરી) જેવો હોય છે. વળી ભગવાનને પહેલે સમયે તે પ્રકૃતિનો બંધ પડે, ખીજે સમયે વેદાઈ જાય, અને ત્રીજે સમયે તો નિરાઈ પણ. જાય. કષાયથી થતો સાંપરાઈક બંધ તો કેવળીને હોય જ નહીં, ઈર્ષ્યાપથિક બંધ હોય. તે અધમાં સંસાર વધારવાની કોઈ તાકાત છે જ નહીં.
આવી રીતે શુભકરૂપ પુણ્ય અને શુદ્ધ એવો જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્મધર્મ બન્નેની ધારાઓ એકી સાથે તેરમા ગુણસ્થાન સુધી પહોંચે છે. છતાં પુણ્યને હલકુ ઠરાવવા એવી પ્રરૂપણા કરવી કે આ કાળમાં મોટા ભાગના પુણ્યમાં જ ધર્મ માની બેઠા છે, આત્મધર્મ ને તેઓ પિછાણુતા નથી. ધર્મ અલગ ને પુણ્ય અલગ છે. પુણ્યમાં જ ધર્મ માની લેવો એ મહામિથ્યાત્વ છે. આત્મજ્ઞાનનો પોતેજ જાણે ઠેકો ન રાખ્યો હોય ? એટલે આવી પ્રરૂપણા બીજાને ઉતારી પાડવા તેઓ કરતા હોય છે ! બાકી જૈન મામાં કોઈની પણ એવી માન્યતા છે જ નહીં કે પુણ્ય એજ આત્મધર્મ છે. પુણ્ય તો અંતે ખપી જવાનું છે, જ્યારે આત્મધર્મ તો શાન્ધત છે. ચૌદમે ગુણસ્થાને પુણ્ય ને પાપ બધી પ્રકૃતિઓનો ક્ષય કરીને જીવ મોક્ષને પામે છે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ આત્મધમતો મોક્ષમાં પણ જયવંત વર્તે છે. છતાં એકાંત નિશ્ચય વાદીઓ જે રીતે અને જેટલું પુણ્યને નિકૃષ્ટ લેખે છે તે તો માથી તદ્દન વિરૂદ્ધ છે. હા ! પાપાનુખ ધી પુણ્ય નિકૃષ્ટમાં નિકૃષ્ટ છે જ્યારે પુણ્યાનુમથી પુણ્ય ઉત્કૃષ્ટ