________________
મંગલાચરણ
નાગપુર સંઘના કાર્યકરો પૂજ્યશ્રીને વિનંતી કરવા કટક પહોંચ્યા. નાગપુર સંઘની આગ્રહભરી વિનંતી હોવાથી પુજ્યશ્રીએ કટકથી નાગપુર તરફ વિહાર આગળ લંબાવ્યો. વચમાં દુર્ગ શહેરમાં નાગપુર ચાતુર્માસની જય બોલાવી અને જેઠ વદી પંચમીના શુભ દિવસે સં. ૨૦૩૧ ની સાલનું ચાતુર્માસ નાગપુર શહેરમાં વિતાવવા પુજ્યશ્રીએ શ્રીસંઘના ભવ્ય સ્વાગતપુર્વક નાગપુર શહેરમાં પ્રવેશ કર્યો. શ્રીસંઘનું મહાન અહોભાગ્ય કે જતાં અને આવતાં બને ચાતુર્માસનો અપુર્વ લાભ નાગપુરને મલ્યો એટલું જ નહીં અને ચાતુર્માસ એવાં તો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયાં કે કે જેનો ઈતિહાસ વર્ષો સુધી અમર રહી જશે.
બીજા ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી એક લાખ જેટલી રકમ થઈ જતાં નૂતન જિનમંદિરના કાર્યને અપુર્વ વેગ મલ્યો. પુજ્યશ્રીના પગલે જિનમંદિરનું કાર્ય પુરજોશમાં શરૂ થઈ જતાં ફાગણ મહિને પુજ્યશ્રીની નિશ્રામાં શ્રીસંઘની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાની ભાવના આજે સફળતાને વરી ચૂકી છે.
અત્રેના નૂતન ઉપાશ્રય પર રૂા. ૮૦,૦૦૦ દેવ દ્રવ્યનું કર્જ હતું, તે પણ મહારાજશ્રીની પ્રેરણાથી ચુકવાઈ ગયેલ છે. આવાં અનેક કાર્યો પૂજ્યશ્રીના મંગળ પગલે નાગપુર શહેરમાં શ્રીસંઘના અપુર્વ ઉત્સાહથી થયેલ છે. બધા કાયૉપર કળશ ચડાવવારૂપ પુજ્યશ્રીના ઉપદેશથી અત્રેથી ભાંદજી) ભદ્રાવતી તીર્થનો છરી પાળતો સંઘ પણ નીકળેલ. સંઘમાં ચારસોની સંખ્યામાં યાત્રિકો જોડાયેલ. નાગપુર શહેરમાં ઘણા