________________
મંગલાચરણ
રામચે નહીં, તો પછી પાપમાંતો રાચવાની વાતજ કયાં રહી ? તે તો પુણ્ય અને પાપ બન્નેની પેલી પાર જવા ઈચ્છે છે. વચગાળામાં પુણ્યાનુબંધી પુણ્ય વળાવારૂપે બરાબર છે. કારણ કે તે મોક્ષમાર્ગમાં સહાયરૂપ છે. બાકી પાપાનુબંધી પુણ્ય તો મોક્ષ માર્ગમાં બાધારૂપ છે. પુણ્યના ઉદયે મળેલાં ધન, વૈભવ અને ભોગ વિલાસાદિમાં જવ અનાસક્ત ભાવે રહેતો હોય અને અંદરનો વૈરાગ્યભાવ બરાબર ટકી રહ્યો હોય, ત્યારે સમજવું જીવ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો છે. ગમે તેવા સુખના કાળમાં પણ તે જીવની દૃઢ માન્યતા હોય છે કે, પુણ્યના ઉદયે મળેલાં સુખો પણ અંતે શાશ્વત નથી અને જે હું એ સુખોમાં આસક્ત બન્યો તો પરિણામે ભયંકર દુઃખની પરંપરાને સર્જનારા છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો જીવ સંદરમાં આવી દૃઢ માન્યતાને ધરાવનારો હોય છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે જીવ ચક્રવર્તિના વૈભવને પામ્યો હોય, તો પણ તેમાં વિરકતભાવે રહી શકે છે, તો પછી સામાન્ય પ્રકારના ધનવૈભવના યોગમાં તે જીવ આસક્ત બનેજ શેનો ?
જગત આખાથી જે ઉદાસ તે ધન વૈભવનો
દાસ બને જ શેને ? પુણ્યના ઉદયે સર્વ સંપદાઓ-જીવને ચોમેરથી આવી મળે છે, તે અંગે શાસ્ત્રકાર ફરમાવે છે કે :