SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ - અરે, સોના તું તો ઘણુંજ કુપાત્ર છે, રાતભર તિજોરીમાં તું નિરાંતે સુવે છે અને માલિકને તે પોતાનો. ચોકીદાર બનાવી મૂક્યો છે.” સોનું તિજોરીમાં રાખેલું હોય એટલે માલિકને આખી રાત ઉજાગરો કરવો પડે. ઘરમાં જોખમ હોય એટલે ઉપર છાપરાનાં નળિયાં ખખડે કે અંદરથી કાળજું ફફડે અને પાછો ઊંઘમાં ને ઊંઘમાં બબડે, અરે ! ઘરમાં ચોર આવ્યા, અરે ! હું તો લૂંટાઈ ગયો. કોઈ મારી મદદે આવો ! અને જાગીને જુએ ત્યારે કોઈ ઘરમાં આવ્યુંજ ન હોય ! અમસ્તી ઉપર બિલાડી નળિયા ખખડાવતી હોય. છતાં કાળજામાં ફફડાટનો પાર નહીં, અને આજે તો જ્યાં સોનું, ચાંદી અને હીરા માણેક છે ત્યાં દરોડાજ પડે છે. રાખીને બેઠા હોય તેને ચિંતા નો પાર નહી, એટલે સોના કે ચાંદીમાં સુખ છે એ તો એક પ્રકારની. ભ્રમણાજ છે. ખરું સુખ જ્ઞાન ને ધ્યાનની રમણતામાં જ છે. એ સત્ય માનવીને સમજાશે તે દિ દિલની દુનિયાના દ્વાર ખુલી જશે. આજે રાખીને બેઠા છે તેને કેટલી ઉપાધિ છે. અને ત્યાગીને બેઠા છે તેમને કેવી અપૂર્વ સમાધિ છે. માટે સંગ્રહમાં સુખ છે તેવું સામાન્ય જ્ઞાનીઓ પણ કહેતા નથી, જ્યારે ત્યાગમાં સુખ છે તેવું તો અનંત જ્ઞાનીઓએ. કહ્યું છે. સંપત્તિના અમુક હિસ્સાનો ત્યાગ કર્યો પછી ઉપભોગ આજે કરોડો ભેગા કરીને મહેલાતોમાં રહેનારા પણ સુખી દેખાતા નથી, કારણ કે તેમના મહેલાતોની ઇંટેઈટમાં
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy