SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૩૭ સ્પર્શી માત્રથી ઝેર કદાપિ નહીં ચડે, તેના સેવનથી ઝેર ચડે છે. સોમલ અને વચ્છનાગનું ઝેરી દ્રવ્યપ્રાણોને હરે છે, જ્યારે પૈસાનુ ઝેર તો જીવના ભાવપ્રાણોને ગૂગળાવી નાંખે છે. એક કવિએ લખ્યું છે કે : कनक कनकसे सो गुनी, मादकता अधिकाय । वो खाए बौरात है, वो पाए बौरात ॥ કનક શબ્દનાં બે અર્થા થાય છે. એક અર્થ થાય છે કનક એટલે ધતૂરો અને ખીજો અથ થાય છે કનક એટલે સોનું, ધતૂરામાં માદકતા હોય છે. આ દોહરામાં કવિ લખે છે કે, ધતૂરામાં જે માદકતા છે, તે કરતાં સુવણૅ માં સો ગણી માદકતા વધારે છે, ધતૂરો ખરીદીને ઘરમાં રાખવા માત્રથી માદકતા આવતી નથી, જ્યારે સોનુ તો ઘરમાં રાખવા માત્રથી માદકતા આવે છે. ધતૂરાનુ કોઈ માણસ ભક્ષણ કરે, તો તેનામાં ઉન્માદ જાગે છે, જ્યારે સોનુ તો પ્રાપ્ત કરવા માત્રથી માનવી ઉન્મત્ત બને છે. " एकको खाने से मादकता आती है जब दूसरेको पाने से मादकता आ जाती है" ૐ” કોઈ કવિએ સોનાને ઉપાલંભ આપતાં લખ્યુ છે કે : सोना तू तो बडा कुपातर, तूने हमको खुवार किया । तू तो सोता बडी निंदमें, हमको चौकीदार किया ॥
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy