SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ મંગલાચરણ પાપ નથી કરાવતી, જેટલાં મનની ભૂખ કરાવે છે. પેટ પાપનું મૂળ નથી, લોભ પાપનું મૂળ છે. આ કાળમાં પણ માનવી દૃઢ સંકલ્પ રાખે, તો નીતિથી પેટ ભરી શકે છે, અને જીવન જરૂરીયાતો ઓછી કરી નાખે તો તેને ઘોર પાપ આચરવા પડે નહી. આજે ઘરમાં રેશનની એટલી પડી નથી જેટલી ફેશનની પડી છે ! ફેશનેબલ ચીજે ઘરમાં વસાવવામાં એટલો બધો ખર્ચ કરવો પડે છે, જેટલો જીવનની મુખ્ય જરૂરીયાતોને પહોંચી વળવા પણ કરવો પડતો નથી. ચા પિકચરનો પણ કયાં ઓછો ખર્ચ છે! બીજાં વ્યસનો પોષવામાં પણ હજારો વપરાઈ જાય છે. વ્યસન અને પિકચરનો માનવી પરિત્યાગ કરી દે, તો ખર્ચ પર ઘણો મોટો કાપ પડી જાય. આ કાળમાં માનવીનાં પુણ્યબળ ઘટી ગયાં છે, અને શેખ બધા પૂરા કરવા છે. એટલે પછી માનવીને અનીતિને માગે જવું પડે છે. તેમાં પાપાનુબંધી પુણ્યના બળે બે દિવસ સફળતા મળે છે, અને કયારેક ફટકે એવો લાગી જાય છે અથવા સરકાર તરફથી કેઈ અણધારી એવી આફત આવી પડે છે કે, જે માર્ગેથી પૈસા આવ્યા હોય તે માગે પાછા ચાલ્યા જાય છે, અને માર એવો લાગી જાય છે કે ફરી ઊભા થવામાં વર્ષો વીતી જાય. માટે વ્યસનોનો ત્યાગ કરવાપૂર્વક ખોટી જરૂરીયાતો ઓછી કરીને જે જીવન જીવવાની આજથી જ શરૂઆત કરી દો, તો જીવનમાં પાપ ઘણું ઓછાં થઈ જશે, અને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઊંચામાં ઊચું જીવન જીવી શકાશે.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy