SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ જવાની. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ એ ધાર્મિક જીવનનો પાયો છે. પાયો મજબૂત હશે તો તેની પર યમ નિયમ વ્રત પચ્ચકખાણાદિના જેટલા માળ ખેંચવા હશે તેટલા ખેંચી શકાશે, છતાં ઈમારતને ધક્કો લાગશે નહીં, માર્ગાનુસારીના પાંત્રીસ બોલમાં પહેલોજ બોલ ન્યાય સંપન્ન વિભવનો છે, ન્યાય સંપન્ન વિભવ લબાણથી વિષયની પીકિ કર્યા બાદ મૂળ વિષયની શરૂઆત એટલે માર્ગાનુસારીના પ્રથમ ન્યાય સંપન્ન વિભવ પરની વ્યાખ્યા શરૂ કરીએ છીએ. સાધુ પુરૂષોએ પરિગ્રહને અને તે નિમિત્તે થતા આરંભ સમારંભાદિ કાર્યોને ત્રિવિધ વોસિરાવી દિધેલા હોય છે. એટલે તેઓ કોઈને પણ અથર્જન કરવાનું કે, તે નિમિત્તે થતા આરંભ સમારંભાદિ કરવાનું કહેતા નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાન પુરૂષોનો એજ ઉપદેશ છે કે, સૌ જીવો અપરિગ્રહી અને નિરારંભી બને તો કેવું સારું ? જે અપરિગ્રહી અને નિરારંભી બનીને ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા હોય તેઓ કોડાનકોડ ધન્યવાદને પાત્ર છે. જે જીવોની એટલી તૈયારી ન હોય તેવા જીવો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ધર્મને માટે યોગ્ય બને એટલા માટે જ્ઞાની પુરૂષોએ માર્ગાનુસારીતાનો ઉપદેશ કર્યો છે. જેમણે ધાર્મિક જીવનની તાલીમ લેવી હોય અને જીવનમાં માનવતા વિકસાવવી હોય તેમણે માર્થાનુસારીપણાના પાંત્રીસે ગુણોનો જીવનમાં સાંગોપાંગ અભ્યાસ કરવો જોઈએ.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy