SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ કરી લેવાના હોય, જો કે આત્માનો મુખ્ય ધર્મ તો સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ જે આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ છે, પણ તે સ્વભાવ ધના પ્રગટીકરણમાં સત્ય, અહિંસા, સયમ, તપ વિગેરે સહાયરૂપ છે. સાધક દશામાં સત્ય, અહિંસા, તપ, સંયમાદિનું પાલન અત્યંત જરૂરી છે. તેના પાલન વિના કોઈ પણ આત્માઓ સ્વભાવ ધને પામી શકતા નથી. લાંછન લગાડનારા દૂષણો પરિગ્રહની તીવ્ર મૂર્છા અને લોભદશાને લીધે મનુષ્યો સ્વભાવ ધની વાત તો બાજુ પર રહી પણ ધર્મની શરૂઆતની ભૂમિકાને પણ નિભાવી શકતા નથી. અનીતિ, અન્યાય, વિશ્વાસઘાત એ બધા દૂષણો એવા છે, કે ગૃહસ્થોનાં ધાર્મિક જીવનને પણ લાંછન લગાડનારા છે. માર્ગાનુસારીતાને નહીં આચરનારા ગૃહસ્થો ગમે તેવા ધર્માંના અનુષ્ઠાનો કરતા હોય છતાં તેઓ જગતમાં ઉલટા નિંદનીય બને છે, પણ પ્રશંસનીય કે વંદનીય બનતા નથી. ધનની મૂર્છા અને પરિગ્રહનો વધારે પડતો લોભ મનુષ્યોની પાસે ન કરવાના કૃત્યો કરાવે છે. પેટ માટે પાપ કરવાની વાતજ ખોટી છે. ધનના સંચય અર્થે જ મનુષ્યો મોટકા પાપ સેવે છે. ગમે તેટલું દ્રવ્ય મળવા છતાં જીવને તૃપ્તિ તો થતીજ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનમાં ત્યાં સુધી લખ્યું છે કે कसिपिजो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि सेन संतुस्से, इइ दुप्पूरए इमे आया ||
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy