________________
SO
મંગલાચરણ
'લ
+ 1
ધાર્મિક જીવનની શુભ શરૂઆત માર્ગાનુસારી જીવનથી થાય છે. ગૃહસ્થોનું જે નીતિમય જીવન તેને માર્ગાનુસારીતા કહેવામાં આવે છે. નીતિ અને ન્યાય એજ ધાર્મિક જીવનનો પાયો છે. નીતિ અને ન્યાયના પાલન વિના ધાર્મિક જીવનનો વિકાસ થઈ શકે નહીં. સમ્યક્ત્વ સહિત શ્રાવકના મારે વ્રતનુ પાલન કરવું એતો ધાર્મિક દૃષ્ટિએ ઉચ્ચ ભૂમિકાવાળું જીવન કહી શકાય, જ્યારે મહાવ્રતોનું પાલન એ તો ટોચ ભૂમિકાવાળુ ધાર્મિક જીવન કહી શકાય. સમ્યગ દ્રષ્ટિપણું, દેશ વિરતિપણું, સર્વ વિરતિપણુ એ ધાર્મિક જીવનની ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ કહેવાય, જેને લોકોત્તર ધાર્મિક જીવન પણ કહી શકાય. પણ તેટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે શરૂઆતની ભૂમિકા પણ યાર કરવી પડે છે જેને માર્ગાનુસારીતા કહેવામાં આવે છે. જ્યાં મંગલાચરણુજ ન કર્યું હોય ત્યાં વ્યાખ્યાનની શરૂઆત શી રીતે થાય ? માર્ગાનુસારીતાના પાંત્રીસ ખોલ શાસ્ત્રોમાં કહ્યા છે જેને ધાર્મિક જીવનનું મંગલાચરણુ કહી શકાય. તેના પ્રત્યેક મોલપર આજથી વ્યાખ્યા શરૂ કરવાની છે.