SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ મંગલાચરણ - ~ ~ ~ લઇએ. પિંડસ્થ, સ્વસ્થ રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારો છે. તેમાં પિંડસ્થ એટલે પોતાના શરીર પિંડમાં રહેલા પોતાના શુદ્ધ આત્માને તેના દ્રવ્ય ગુણ પર્યાયથી યાવવો તે પિંડસ્થ યેય કહેવાય અથવા પિંડસ્થ દયેયમાં પાર્થિવિ, આનેયી, મારૂતિ, વારણ અને તત્વભૂ આ પાંચ ધારણ કરવાની હોય છે. પાર્થિવ ધારણ તેને કહેવામાં આવે છે કે એક રાજલોક પ્રમાણે તીચ્છલોક જેવડો ક્ષીરસમુદ્ર મનમાં ચિંતવવો. તે સમુદ્રની અંદર જંબુદ્વિપની માફક એક લાખ જેજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમળ ચિતવવું. તે કમળના મધ્યમાં કેસરાઓ છે. તેની અંદર દેદીપ્યમાન પ્રભાવવાળી અને મેરૂપર્વત જેટલી પ્રમાણુવાળી કર્ણિકા છે. તે કણિકાપર એક ઉજજવલ સિંહાસન છે. તેના પર બેસી કમોને મૂળથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરતા પોતાને ચિંતવવો, તે પાર્થિવી ધારણા કહેવાય. આવી રીતે પિંડસ્થ દ યાનના અભ્યાસ માટે પાંચે ધારણાઓનું સ્વરૂપ યોગશાસ્ત્ર ગ્રંથને આધારે જાણી લેવું. તે પછી પિંડસ્થ-દયાન ધરવામાં ઘણું જ સરળતા यत्पदानि पवित्राणी समालंब्य विधियते । तत्पवस्थं समाख्यात, घ्यानं सिद्धांत पारगे।। * હ્રીં અહીં નમઃ એવા કોઈ પણ પવિત્ર પદોનું અવલંબન લઈને જે બયાન કરવામાં આવે તેને શાસ્ત્રોના પારગામી મહાપુરૂષોએ પદસ્થ દયાને કહેલું છે. નવકાર મહામંત્રનું ધ્યાન તે પણ પદસ્થ સ્થાન છે. મન, વચન
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy