SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૩૫ નિશ્ચય નયથી જેવો અરિહંત પ્રભુનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે. સત્ પુરૂષાર્થના બળે ઘાતી કર્મોનો ક્ષય કરીને આપણો આત્મા પણ અનંત જ્ઞાન અને અનંત દર્શનને પામી શકે. માટે નિશ્ચયનયથી જિનપદ કે નિજ પદમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ભૂતકાળમાં અનંત આત્માઓ અરિહંતપદ પામીને મોક્ષે ગયા છે, ભવિષ્યમાં અનંતા જવાના છે. ચાલુ વર્તમાનમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં વીસ તીર્થંકરો વિચરે છે. અરિહંતનું ધ્યાન કરનાર ાતા આત્મા પરંપરાએ અરિહંત. બને છે. શું આ ધ્યાનયોગની જેવી તેવી સિદ્ધિ છે ? કહેવું જ પડશે કે અપૂર્વ સિદ્ધિ છે! ધ્યાતા આત્મા એવો હોવો જોઈએ કે પ્રાણુનાશના પ્રસંગે પણ સંયમધુરાને છોકનારો નહીં હોવો જોઈએ. બીજા આત્માઓને સ્વઆત્માની માફક જેનારો હોવો જોઈએ. શુદ્ધ આત્મ સ્વરૂપથી વિચલિત થનારો નહીં હોવો જોઈએ. રાગદ્વેષ અને કામક્રોધાદિ દોષોથી દબાયેલો નહીં હોવો જોઈએ. કામભોગથી વિરત અને સ્વ શરીરમાં પણ નિઃસ્પૃહ એટલું જ નહીં શમ સંવેગરૂપી હદમાં નિમજજન કરનારો, રાજા કે રંક બન્નેમાં સમદૃષ્ટિવાળો, સુમેરૂની જેમ નિષ્પકંપ શશીની જેમ, સૌમ્ય સમીરની માફક નિઃસંગ, આવા આવા ગુણોથી ઉપેત બુદ્ધિમાન શ્ચાતા દાન કરવાને યોગ્ય ગણાય છે. ધ્યેયના ચાર પ્રકારો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત દયાતા પછી કચેયનું સ્વરૂપ પણ સંક્ષેપમાં જાણી
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy