SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ જે અભાવ છે તો દેહવિના ધ્યાન કેવી રીતે ઘટે? પ્રત્યુત્તરમાં ગુરૂ ભગવંત કહે છે કે કાયયોગ અત્યંત સૂક્ષમ હોવાથી તેમ શીધ્ર ક્ષય પામનારો હોવાથી તેમ જ કાયાનું કાર્ય કરવાને અસમર્થ હોવાથી શરીર હોવા છતાં યોગરહીતપણું ઘટે છે. અને શુદ્ધ ચિત્રૂપ અત્યંત આનંદવાળા અયોગી ભગવાનને તેવા સૂક્ષ્મ શરીરના આશ્રયે ધ્યાન પણ ઘટી શકે છે. ધ્યાતા. આત્મા આમાવડે આત્માનું જ ધ્યાન ધરે એ જ નિશ્ચય દૃષ્ટિથી ખરું ધ્યાન છે. બાકી ધ્યાનના જેટલા પ્રકાર તે બધા વ્યવહાર નયાશ્રિત છે. ધ્યાનના સોળે પ્રકાર પર વિશદ વિવેચન કરવામાં આવ્યું તેમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનના આઠે પ્રકાર જીવનમાં અત્યંત આદરણીય છે. અને આ અને રૌદ્રના આઠ પ્રકાર પરિહરવા યોગ્ય છે. શુકલધ્યાન આ કાળે ધરી શકાતું નથી છતાં કોઈ મુમુક્ષુને તેના વિષયનો બોધ થાય એટલા માટે વિવેચન લખેલ છે. મનોનિગ્રહ અથવા મન ઉપરનો વિજય એ જ ધ્યાનનું વાસ્તવિક ફળ છે. શરૂઆતના શુકલધ્યાનના જે બે પ્રકાર તેનું ફળ કેવલજ્ઞાન છે, અને છેલ્લા શુકલધ્યાનના જે બે પ્રકાર તેનું ફળ મોક્ષ છે. મોક્ષમાં જીવને અનંત અવ્યાબાધ સુખ હોય છે. જે સુખનું વર્ણન જ્ઞાનીઓ પણ શબ્દોથી કરી શકતા નથી. માટે ધ્યાનના વિષયનો યથાશક્તિ જરૂર અભ્યાસ કરવો. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ કેવલી ઉત્કૃષ્ટપણે આ પૃથ્વીતલપર દેશોનકોડ પૂર્વ જેટલા કાળ, સુધી વિચરતા હોય છે, તેટલા કાળમાં કેવલીને કોઈ ધ્યાન હોય કે ધ્યાન રહિત હોય ? કેલ્વીનો તે દીર્ઘકાળ ધ્યાનમાં
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy