________________
૩૩૧
મોંગલાચરણ
હોય છે તે ધ્યાનન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ એટલા માટે કહેવામાં આવે છે કે સૂક્ષ્મક્રિયા મટીને હવે કદાપિ સ્થૂલ ક્રિયા થવાની નથી માટે ત્રીજા શુકલધ્યાનનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે.
જેમાં મેરૂપવ ત જેવી આત્માની અડોલ સ્થિતિ તે શૈલેશીકરણ
ચોથુ બ્યુપરતક્રિયા અનિવર્તિ નામે શુકલધ્યાન કેવલી ભગવાનને ચૌદમા ગુણુસ્થાને શૈલેશીકરણમાં હોય છે જેમાં મેરૂપર્યંત જેવી આત્માની અડોલ સ્થિતિ હોય તેને શૈલેશીકરણ કહેવામાં આવે છે. ચૌદમા ગુણસ્થાનમાં આત્મા લૈશ્યા રહિત અની જાય છે. એટલે તેને અલેશીપણુ કહેવામાં આવે છે. ચૌદમા ગુણસ્થાનનો કાળ માત્ર પાંચ હ્રસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો હોય છે. અ - ઇ – ઉ – ઋ - લૂ આને પાંચ હ્રસ્વાક્ષર કહેવામાં આવે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મ યોગાત્મક એટલે સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ સ્પષ્ટ રીતે સમુછિન્ન થઈ ગઈ છે. એટલા માટે ચૌદમે ગુણસ્થાને સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ નામનુ ચોથા પ્રકારનું શુકલધ્યાન હોય છે. આ ધ્યાનની અનંતર સમયે જ જીવનો મોક્ષ થાય છે. માટે આ ધ્યાનને મોક્ષરૂપી મહેલના દ્વાર સ્વરૂપ કહ્યું છે.
ચૌદમા ગુણસ્થાનને અયોગી ગુણસ્થાન કહેવામાં આવે છે. શિષ્ય ગુરૂ ભગવંતને શંકા ઉઠાવીને પુછે છે કે પ્રભુ ! દેહ હોવા છતાં અયોગીપણું કેવી રીતે ઘટે ? અને દેહનો