SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ મંગલાચરણુ સ્વીકાર કરવો તેમજ તેમની આજ્ઞાનુસાર પદાર્થોનું અને પોતાના આત્મ તત્ત્વનું ધ્યાન કરવું તે આજ્ઞા વિચય ધર્મધ્યાન કહેવાય. દેવાધિદેવે કમાવેલી આજ્ઞાની ગવેષણા કરવી અર્થાત સજ્ઞનાં વચન સર્વ આશ્રવદ્વારોનો નિરોધ કરવા સમર્થ હોવાથી તે એકાંત હિતકારી અને નિર્દોષ છે. સજ્ઞના ઉપદેશ મુજબ પદા માત્ર પછી તે દ્વીપક હોય કે આકાશ દ્રવ્ય હોય દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આત્મા પણ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયે અનિત્ય છે. તેવી રીતે પદા માત્ર સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની દૃષ્ટિએ અસ્તિ સ્વભાવે છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વભાવે છે. પદ્મા માત્રમાં અસ્તિનાસ્તિસ્વરૂપ સસભંગી ન્યાય ઘટાવી શકાય છે. આ રીતે સ્યાદ્વાદન્યાય યોગથી આજ્ઞાનુ' આલંબન લઈને પદાર્થીનું ચિંતન કરવું તે ધર્મધ્યાનનો પહેલો પ્રકાર થયો. નવ તત્ત્વનો સાંગોપાંગ અભ્યાસ હોય તો આજ્ઞા વિચય ધ્યાન ધરવામાં ઘણી સરલતા રહે. દોષોમાંથી જન્મતા અનર્થાંનું ચિંતન તે પણ ધર્મ ધ્યાનનો એક પ્રકાર ધર્મધ્યાનનો ખીજો પ્રકાર છે અપાય વિચય. आश्रवविकथागौरव, परिषहाद्येष्वपायस्तु । આશ્રવ, વિકથા, રૂદ્ધિગારવ, શાતા ગારવ, રસ ગારવ આ ત્રણ ગારવ અને પરિષહ સહન કરવામાં કાયરતા વગેરે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy