________________
મંગલાચરણ
આત ધ્યાનના લક્ષણો
આર્તધ્યાનમાં શરૂઆતની કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ વેશ્યાઓ હોય છે છતાં આ ત્રણે વેશ્યાઓ રૌદ્રધ્યાનની જેમ આર્તધ્યાનમાં અતિ સંકલિષ્ટ પરિણામ વાળી હોતી નથી. આર્તધ્યાનમાં મુખ્યતયા કાપોત લેશ્યાના પરિણામ હોય છે છતાં અર્તધ્યાન પણ ક્યારેક રૌદ્રધાનનું કારણ બનતાં પરિણામમાં સંકલિષ્ટતા આવતાં વાર લાગતી નથી અને આર્તધ્યાનના પ્રસંગે આત્મા સાવધાન બનીને પોતાની પરિણતિને જે પોતે સુધારી લે તો સંકલિષ્ટતાની જગ્યાએ વિશુદ્ધતા આવી જાય. આકંદન, રૂદન, શોક, સંતાપ, મુખમાંથી કઠોર વચનનો પ્રલાપ, માથું પછાડવું, માથાના વાળ ખેંચવા એ બધા આર્તધ્યાનના લક્ષણ છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ લક્ષણો અધ્યાત્મસારમાં લખેલા છે.
क्रन्दनं रुदनं प्रोच्चे:, शोचनं परिदेवनम् । ताड़नं लुञ्चनंचेति, लिङ्गान्यस्य विदुर्बुधाः ॥
ધંધારોજગારમાં સફળતા ન મળતાં પણ કેટલાક આર્તધ્યાનમાં પડી જાય છે. ધન વૈભવ મેળવવામાં અત્યંત આસક્ત બનેલા જીવોને આર્તધ્યાન થતાં શી વાર લાગે ? જીવ પોતાના કર્મોદયનો વિચાર કરે તો આર્તધ્યાનના દોષથી જરૂર બચી જાય. ભગવાને પ્રરૂપેલા કર્મવાદ પર જીવને દૃઢ શ્રદ્ધા હોય તો ગમે તેવા સુખદુ:ખાદિના પ્રસંગે પણ જીવને આ ધ્યાન ન થાય, મારાં કર્યા કર્મ