________________
૨૮
મંગલાચરણ
શરીરમાં વ્યાધિ પણ મનમાં સમાધિ હોય તો
આર્તધ્યાન ભલે આંટા માર્યા કરે રોગ એ આર્તધ્યાનનો ત્રીજો પ્રકાર છે. તે અંગે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ અધ્યાત્મસાર ગ્રંથમાં લખે છે કે :
चिंतनं वेदनायाश्च, व्याकुलत्व मुपेयुषः
શરીરમાં વ્યાધિ લાગુ પડી જતાં મન આર્તધ્યાનમાં પડી જાય અને મનમાં વિચારો આવે કે આ વેદના ક્યારે ઘર થશે ? શરીરમાં ગમે તેવો વ્યાધિ હોય છતાં અંદરની જ્ઞાન દૃષ્ટિના જોરે મનમાં સમાધિ હોય તો આર્તધ્યાન ભલે આંટા મારે પણ અંદરમાં જાગૃતિ એટલી બધી હોય કે તેને ક્યાંય ઉભા રહેવા સ્થાન ન મળે. જ્ઞાની કે અજ્ઞાની દુનિયામાં કોઈ સુખદુ:ખથી રહીત છે જ નહીં, છતાં જ્ઞાની અજ્ઞાની વચ્ચે ફેર એટલો જ છે કે જ્ઞાની ઉદયમાં આવેલા કર્મોને ધીરજથી વેદ છે અને અજ્ઞાની રોઈ રોઈને વેદે છે, શ્રીમદ્ રાજચંદ્રજીએ લખ્યું છે કે : જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુ:ખ રહીત ન કોય ! જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય છે
શરીરને પોતાનું માન્યું એ જ જીવની મોટામાં મોટી ભૂલ કહેવાય. આ રીતની દેહાત્મ બુદ્ધિ જ દેહાંતર ગતિનું કારણ બને છે તેવી જ જે અંતરાત્મ બુદ્ધિ હોય