SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ખનવા યોગ્ય નથી છતાં દૃષ્ટાંત ખાતર સમજવાનું કે માતાપિતા પુત્રમાંસનું ભક્ષણ કેવા મને કરે ? તદ્ન ખળતે હૈચે અને ઉદાસીન મને ભક્ષણ કરે. મુનિ પણ તેવા જ મને નિર્દોષ આહાર કરે. તેમાં લેશ પણ સ્વાદને પોષે નહીં. તેવા મુનિને નિત્યભોજી હોવા છતાં ઉપવાસી કહ્યા છે. ૯ સદ્દવ્યવહાર અને અંતરદૃષ્ટિ બન્નેની અત્યંત જરૂર ધરૂપી કલ્પવૃક્ષનું મૂળ મનશુદ્ધિ છે, તેનું સ્ક ંધ નિરવધુ વચન છે અને ક્રિયા એ શાખા વિસ્તાર છે. વૃક્ષનુ મૂળ દૃઢ હોય તો શાખાદિ વિસ્તાર એની મેળે પાંગરે છે. પોતાના ભર્તાર અને દેવરનું આવુ' મહાત્મ્ય સાંભળીને તેની અનુમોદના કરવા વડે રાણીએ પોતાના આત્માને પવિત્ર કર્યો તેમ જ બીજા ઘણા નર નારીઓએ અનુમોદના કરવા વડે પોતાનો આત્મા પવિત્રિત કર્યાં ! આવા દૃષ્ટાંતો દુનિયામાં કવચિત જ બને. રાજાનો જે અનાસક્ત યોગ અને મુનિનો જે સ્વાદવૃત્તિપરનો વિજય તેમાંથી આપણે ઘણું શીખવાનુ છે છતાં રાજાના દૃષ્ટાંતે ભોગ ભોગવતા હોય ને કહે અમે તો બ્રહ્મચારી છીએ તો તે સ્થિતિએ પહોંચવા આપણે ઘણી વાર છે. તેવો અનાસક્ત ભાવ આવે પછી તો વીતરાગ બનતાં કેટલીકવાર લાગે ? પણ તેવો અનાસક્ત ભાવ આવવો દુર્લભ છે. માટે આપણા માટે તો વ્રતોના ઉચ્ચારણપૂવ ક બ્રહ્મચર્યાદિનું પાલન કરવું એ જ અત્યંત હિતાવહ છે. તત્ત્વદૃષ્ટિ લક્ષમાં જરૂર લેવાની છે, પણ એટલાથી સવહાર છોડી દેવાનો નથી. શક્તિ અનુસાર અથવા શક્તિ ફોરવીને પણ માાતપ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy