SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ઘટના કરી લેવી અને કોઈ વસ્તુનો મદ નહીં કરવો. મદ કરવાથી માનવીના હૃદયમાં ઉન્માદ આવે છે અને સંસારની વૃદ્ધિ થાય છે. તેથી લેશ પણ ગુણનો લાભ થતો નથી તો પછી શા માટે અત્યંતર શત્રુઓને આધીન થવું ? પોતાનું પરાક્રમ ફોરવીને તેની પર વિજય મેળવવો તે જ ખરો આત્મ વિજય છે. પરમાધામીના નાનાભાઈ છઠ્ઠો હર્ષ નામે અંતરંગ શત્રુ છે. કોઈ સારા શુભ સમાચાર મળે એટલે હર્ષ થાય અથવા સત્સંગનો લાભ મળતાં પણ મનમાં હર્ષ થાય. પરમાત્માના દર્શનથી પણ મનમાં હર્ષ થાય, કોઈ સ્નેહીજન ઘણું લાંબા સમયે મળે. એટલે હર્ષ તો થાય પણ હર્ષના આંસુ પણ આવી જાય તેવા હર્ષની ગણના પરિપુમાં કરવાની નથી. વગર કારણે બીજાને દુઃખ ઉત્પન્ન કરીને મનમાં જે હર્ષ થાય તે અંતરંગ શત્રુ છે. જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને કેટલાકો મનમાં આનંદ અનુભવે છે. શિકાર કરવા ગયેલા હોય અને કોઈ પણ શક્તિ સંપન્ન પ્રાણનો શિકાર કરીને મનમાં આનંદ અનુભવે કે મેં આવા ઝાઝરમાન પ્રાણને કેવો ઠાર કરી નાખ્યો ? બસ આને હર્ષ નામે અંતરંગ શત્રુ કહી શકાય. પોતાના દુશ્મનને પણ દુઃખી જોઈને મનમાં દયા આવવી જોઈએ, તેના બદલે મનમાં હર્ષ ઉત્પન્ન થાય તે કેવડો મોટો ભયંકર દોષ કહેવાય ? નારકોમાં પરમાધામી નામે અસુરો હોય છે તે નારકોને ખૂબ દુઃખ આપે અને પછી
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy