________________
૨૫૦
મંગલાચરણ
લજ્જાયુક્ત અને ાળુ
લજ્જા એ પણ એક મહાન સદ્ગુણ છે. લજ્જાને લીધે માણસની આંખમાં શરમ રહે છે. જે માણસની આંખમાં શરમ હોય તેને સન્માર્ગે લાવી શકાય. પૂ. હેમચંદ્રાચાય જી લખે છે કે
પૂ. કલિકાલસર્વજ્ઞ
:
सलज्ज सदयः सौम्य, परोपकृति कर्मठः
આ ગાથા પણ છે તો અી પણ તેમાં ચાર ગુણનો સમાવેશ કર્યો છે. જ્ઞાનીની રચના જ કોઈ અદ્ભૂત હોય છે. તેઓ આખા સિંધુને બિંદુમાં સમાવી દે અને બિંદુમાંથી સિંધુ છલકાવી દે ! માત્ર દશ ગાથામાં માર્ગાનુસારીના પાંત્રીસે ખોલ મુક્તાફળની માળાના મોતીની જેમ વણી લીઘા છે. કલિકાલસર્વાંગ હેમચંદ્રાચાર્ય અગાધ ક્ષયોપશમના ધણી હતા ! સરસ્વતી જેમના કંઠે હતી ! અનેકાનેક શાસ્ત્રો જેમણે રચ્યા છે તેમની સ્તવના કરવા જેટલું પણ આપણામાં સામ નથી, તો પછી તેમણે રચેલા શાસ્ત્રોનો પાર પામવાની તો આપણામાં કઈ શક્તિ છે ? છતાં શુભમાં યથાશક્તિ સૌએ યત્ન કરવો એવો મહાપુરૂષોનો જ ઉપદેશ છે, તે ઉપદેશને લક્ષમાં રાખીને અલ્પ ક્ષયોપશમ મુજબ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.
લજ્જા ગુણસમૂહને જન્મ આપનારી જનેતાસ્વરૂપ
જેની આખમાં શરમ છે તે માણસને કોઈ ઉપદેશક