SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ મંગલાચરણ લજ્જાયુક્ત અને ાળુ લજ્જા એ પણ એક મહાન સદ્ગુણ છે. લજ્જાને લીધે માણસની આંખમાં શરમ રહે છે. જે માણસની આંખમાં શરમ હોય તેને સન્માર્ગે લાવી શકાય. પૂ. હેમચંદ્રાચાય જી લખે છે કે પૂ. કલિકાલસર્વજ્ઞ : सलज्ज सदयः सौम्य, परोपकृति कर्मठः આ ગાથા પણ છે તો અી પણ તેમાં ચાર ગુણનો સમાવેશ કર્યો છે. જ્ઞાનીની રચના જ કોઈ અદ્ભૂત હોય છે. તેઓ આખા સિંધુને બિંદુમાં સમાવી દે અને બિંદુમાંથી સિંધુ છલકાવી દે ! માત્ર દશ ગાથામાં માર્ગાનુસારીના પાંત્રીસે ખોલ મુક્તાફળની માળાના મોતીની જેમ વણી લીઘા છે. કલિકાલસર્વાંગ હેમચંદ્રાચાર્ય અગાધ ક્ષયોપશમના ધણી હતા ! સરસ્વતી જેમના કંઠે હતી ! અનેકાનેક શાસ્ત્રો જેમણે રચ્યા છે તેમની સ્તવના કરવા જેટલું પણ આપણામાં સામ નથી, તો પછી તેમણે રચેલા શાસ્ત્રોનો પાર પામવાની તો આપણામાં કઈ શક્તિ છે ? છતાં શુભમાં યથાશક્તિ સૌએ યત્ન કરવો એવો મહાપુરૂષોનો જ ઉપદેશ છે, તે ઉપદેશને લક્ષમાં રાખીને અલ્પ ક્ષયોપશમ મુજબ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. લજ્જા ગુણસમૂહને જન્મ આપનારી જનેતાસ્વરૂપ જેની આખમાં શરમ છે તે માણસને કોઈ ઉપદેશક
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy