SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાયા પણ ~~ ~ દીર્ઘદર્શી અને વિશેષ કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી છવીસમા અને સત્તાવીસમા ગુણની વ્યાખ્યામાં લખે છે કે : दीर्घदर्शी विशेषज्ञ, कृतज्ञो लोक वल्लभः આ અધી ગાથામાં ચાર ગુણોનો સમાવેશ કર્યો છે. માનુસારી પુરૂષે દીર્ઘદર્શી અને વિશેષજ્ઞ બનવું જોઈએ. દીર્ધદશી બનવાનું છે પણ દીર્ઘસૂત્રી નહીં. દીર્ઘદશીતા ગુણ છે તો દીર્ઘસૂત્રતા દૂષણ છે. કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા પૂર્વાપરનો વિચાર કરવો, તેના અર્થ અને અનર્થ સંબંધી વિચારણા કરવી તેને દીર્ઘદશી પણું કહેવામાં આવે છે. ભાવિ દીર્ઘકાળ સંબંધી લાભાલાભને વિચાર રાખ્યા વગર કોઈ પણ કાર્ય કરવાથી ક્યારેક પસ્તાવવાનો વખત આવે છે અને કયારેક મોટી આફતમાં પણ મૂકાઈ જવું પડે છે. અને લાંબો વિચાર રાખીને કાર્ય કરવાથી મનની પ્રસન્નતા રહે છે અને મન દુષ્મનના દોષથી બચી જાય છે. દીર્ઘદર્શી બનવું પણ દીર્ઘસૂત્રી નહી બનવું ગૃહસ્થને કોઈ સાથે સંબંધો બાંધવા હોય અને તેમાં પણ દૃષ્ટિ લાંબી દોડાવીને કામ કરે તો તે દીર્ઘસૂત્રતા નથી. સામા કુટુમ્બની ખાનદાની તપાસે, તે કુટુમ્બના ધર્મના સંસ્કાર કેવા પ્રકારના છે તે પણ તપાસે અને ત્યારબાદ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy