SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ બલાબલની પરિક્ષા તેવીસમા બલાબલ ગુણની વ્યાખ્યામાં ફરમાવ્યું છે કે કોઈપણ કાર્યનો આરંભ પોતાની શક્તિનું માપ કાઢીને કરવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાની શક્તિનું માપ કાઢીને કાર્ય કરનારને પાછળથી પસ્તાવવાનો વખત આવતો નથી. પોતાની શક્તિ અને નિર્બલતાનો ખ્યાલ રાખીને કાર્યનો પ્રારંભ કરનારને કાર્યમાં સફળતા મળે છે, અને શક્તિનું માપ કાઢ્યા વિના કાર્યમાં જોડાવવાથી આરંભે શૂરા જેવું થાય છે. એટલા માટે જે કાર્યમાં પોતાની નિર્બલતા હોય તે કાર્યમાં જોડાવું–નહીં. જે કાર્ય કરવામાં પોતાની અશક્તિ હોય તે કાર્યનો ત્યાગ કરી દેવો. તેમ કરવામાં ન આવે અને શક્તિ ઉપરાંત કરવામાં આવે તો કયારેક પરિણામ વિપરિત આવે છે અને પસ્તાવવાનો પણ વખત આવે. મહાપુરૂષોએ કહ્યું પણ છે કે : " कः काल कानि मिवाणि, को देशः कौ व्ययागमौ ।' कश्चाहं काचमे शक्तिरिति, चित्यं मुहुर्मुहु ॥ પ્રત્યેક ધર્મનુષ્ઠાન શક્તિનો માપ કાઢીને કરવું. આ ગાથામાં લખેલા જે પ્રકારો છે તે અંગેની ચિંતવના વારંવાર કરવી જોઈએ. સમય કેવો છે ? મિત્ર કોણ છે? એટલે કે ખરા સમયે મારી પડખે ઊભું રહેનાર કોણ છે ? હું કોણ છું ? અને મારી શક્તિ કેટલી છે ? એ સર્વ મુદ્દાઓ પર પુનઃ પુનઃ વિચાર કરવો. અલાબલનો વિચાર કર્યા વિના
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy