SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મંગલાણ કે બીજ મહાપુરૂષોએ કરેલા ઉપકારોને પણ તે ભૂલી જાય છે. વીર ભગવાન સાક્ષાત વિચરતા હતા તે સમયે પણ પણ કોએ સાળાના દૃષ્ટિરાગમાં ફસાઈ પડયા હતા. જમાવીને પણ પોતાના મંતવ્યનો એવો તો દૃષ્ટિરાગ થઈ ગયેલો હતો કે ગમે તેટલો બાદ ત્યાગ કરવા છતાં ભવજલના તાગને પામ્યો નહીં. દૃષ્ટિરાગ અને અભિનિવેષ વચ્ચે પાકી દોસ્તી છે..માટે કોઈ પણ વસ્તુ અંગેના કદાગ્રહનો પરિત્યાગ કરવો. અભિમાની મનુષ્ય પોતાના જ દુર્ગુણોથી દુઃખી થાય છે, ઓટા અભિનિવેવનો ત્યાગ કરનાર મનુષ્ય જ જીવનમાં સત્યનાં દર્શન કરી સન્માગને પામી શકે છે. પક્ષપાતિ ગુણેષુચ અભિનિવેષનો ત્યાગ કરવાપૂર્વક ગુણના પક્ષપાતી બનવું જોઈએ. આ બન્ને ગુણો એકએકને પુષ્ટિકારક છે. ગુણનો પક્ષપાત હોય, વ્યક્તિને નહીં. વ્યક્તિ ગુણ હોય તો તેના પ્રતિ ગુણાનુરાગ જરૂર હોય, દૃષ્ટિરાગ ન હોય. દૃષ્ટિરાગે તો આપણા સંધ અને શાસનને એટલું બધું નુકશાન પહોંચાડયું છે કે તેનું કયા શબ્દોમાં વર્ણન કરવું તે જ સમજી શકાતું નથી. ગુણાનુરાગી મનુષ્યો તો મહાવ્રતધારી માત્રને પોતાના ગુરૂ માનીને ભજતા હોય છે. આચાર વિચારમાં સ્થિત સૂત્રસંબદ્ધ દેશના દેનારા, લેશ પણ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ નહીં કરનારા મહાપુરૂષો સૌ કોઈ માટે ગુરૂ સ્થાને છે. અન્ય સંપ્રદાયોમાં અમુક ગુરૂના નામની કંઠી બંધાવવાનો રિવાજ છે. યારે જેને શાસનમાં તો શ્રાવકોએ ગુરૂસ્થાને ક્યા મહાપુરૂષોને માનવા લે અંગે પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy