SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ સંગ તેવો રંગ માર્ગાનુસારીતાના પાંત્રીસ ગુણોમાં આઠમો ગુણ છે સદાચારી અને સર્જન એવા પુરૂષનો સંગ કરવો. કારણ કે જેવો સંગ હોય તેવો રંગ લાગે છે. સદાચાર વગરના જે મનુષ્યો હોય તેવાઓના સંસર્ગમાં આવવું નહીં. દાખલા તરીકે ખલ, ઠગારા, જાર (અનાચાર સેવનારા), ભાટ, ભાંડ, ભવાયા, નટ આદિ હલકા મનુષ્યોની સોબત કરવાથી આપણામાં જે. કાંઈ સારા સંસ્કાર હોય તે પણ નાશ પામે છે. આવી સોબતમાં રહેવાથી મનુષ્ય જતે દહાડે પોતાના (Charactor) (કેરેકટર) ચારિત્રથી પણ ભ્રષ્ટ થઈ જાય. કહેવતમાં પણ કહેવાય છે કે હલકા હોય તે હલકાનો ભાવ ભજવે જ. બગીચા પરથી હવા પસાર થઈને આવતી હોય એટલે તે હવામાં સુગંધ જ આવવાની અને ઉકરડા પરથી હવા પસાર થઈને આવતી હોય એટલે તેની સાથે દુર્ગધ જ આવવાની, તેમ સારાની સોબતમાં રહીએ એટલે આપણું જીવનમાં સદ્ગુણની સુવાસ જ આવવાની અને દુર્જનની સોબતમાં રહીએ એટલે આપણું જીવનમાં પણ દુર્ગુણની દુર્ગધ જ પસરવાની છે. ધર્મબિન્દુ પ્રકરણની ટીકામાં પૂર્વાચાર્ય મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે : यदिसत्संगनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जन गोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ . જે તે સત્સંગ કરવામાં તત્પર થઈશ તો આબાદ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy