________________
મંગલાચરણ
૧૫૭
તેવીજ રીતે ધર્મને ભૂલેલો માનવી ભલે બે દિવસ સુખ ભોગવી લે, પણ તે તેના સુખો પણ બે દિવસની ચાંદની સ્વરૂપ જ છે. અંતે તે અનંતાનંત દુઃખની પરંપરામાં પટકાઈ જવાનો જ. સ્વશ્લાઘા અને પરનિન્દાથી નીચ
ગોત્રકર્મનો બંધ પૂ. ધર્મદાસગણું લખે છે કે : सुठुविउज्जवमाणं, पंचेवरिति रित्तयंसमणं । મuથ ઘનતા, નિમોવસ્થા કરાયા
તપ સંયમના માર્ગમાં ખૂબ સારી રીતે ઉદ્યમશીલ બનેલા શ્રમણને પણ પાંચ દાવો એવા ભયંકર છે કે તદ્દન ગુણ રહિત કરી નાખે છે. એટલે કે તેને ગુણ ભંડારને લૂંટીને તેને તદ્દન ખાલી કરી નાખે છે. તે પાંચ દોષોમાં પહેલો દોષ આત્મલાઘા અને તે પછીના ઉત્તરોત્તર પરનિન્દા, જીહાઈન્દ્રિય સ્પર્શેન્દ્રિય અને કષાય. તેમાં આત્મકલાઘા અને પરનિન્દા એ તો એવા મહા ભયંકર દોષો છે કેભલભલાનું પતન કરી નાખે છે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ સૂત્રમાં લખે છે કે :
पर परिभव परिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचर्गोत्रं प्रतिभवमनेक भवकोटि दुर्मोचम् ॥