________________
મંગલાચરણ
તે બદ્દલ શ્રીસંઘને ધન્યવાદ ઘટે છે.
- પુસ્તકના પ્રકાશન પહેલાં સમ્યજ્ઞાન પ્રચારના શુભ કાર્યમાં જે જે મુમુક્ષુ ભાઈબહેનોએ અગાઉથી પુસ્તકો લખાવવાની ભાવના દર્શાવી છે અથવા પોતાની શક્તિ અનુસાર રકમો લખાવીને જે સહકાર આપેલ છે તે બદલ સૌ કોઈને ધન્યવાદ ઘટે છે તેમાં ખાસ કરીને હાલ કલકત્તા નિવાસી અને મૂળ સૌરાષ્ટ્ર વાંકાનેરના વતની શેઠ નવનીતલાલ નાનાલાલ શાહે તથા તેમના માતુશ્રીઓ તથા તેમના બંધુઓએ પોતાના સ્વ. પિતાશ્રી નાનાલાલ રાઘવજી શાહની સ્મૃતિ નિમિત્તે રૂા. પાંચહાર આપીને જે સહકાર આપ્યો છે તે બદ્દલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
પાંત્રીસે બોલ લખવામાં તેમ જ ધ્યાનયોગનો વિષય લખવામાં જેટલો બને તેટલો ઉપયોગ રાખ્યો છે. છતાં છવસ્થભાવને લીધે આ પુસ્તકના આલેખનમાં કાંઈ શાસ્ત્રવિરૂદ્ધ મારાથી લખાઈ ગયું હોય તો તે બલ મિચ્છામિ દુક્કડમ જાહેર કરું છું.
મુમુક્ષુ આ પુસ્તકનું વાંચન મનન કરી શક્તિ અનુસાર જીવનમાં ઉતારી પોતાના જીવનને સફલ બનાવે એ જ એક અભિલાષાની સાથે વિરમું છું.
તા. ૨૭–૩–૧૯૭૬
મુનિ ભુવનવિજ્ય ગણી